રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર સીએમ સાથે સ્ટેજ પર દેખાયા, કૉંગ્રેસ છોડવાની અફવાઓ ઉડતા ખંડન પણ કર્યું.


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 13:27:23

રાજ્યના જાણીતા લોક કલાકાર કીર્તિદાન ગઢવીનું ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે, ભાવનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કીર્તિદાન ગઢવીને એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર પણ હાજર રહ્યા હતાં. 


CM સાથે અમરીશ ડેર દેખાતા અનેક તર્કવિતર્ક


આ લોક ડાયરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત મંત્રી જીતુ વાઘાણી, જીગ્નેશ કવિરાજ, માયાભાઇ આહીર, સાંઈરામ દવે અને પાર્થિવ ગોહિલ સહિતના અનેક કલાકારોએ હાજરી આપી હતી. જો કે સૌથી વધુ કુતુહલ તો કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરની ઉપસ્થિતીથી સર્જાયું હતું. અમરીશ ડેર આ કાર્યક્રમમાં હાજર રહેતા રાજકારણ ગરમાયું છે. આગામી સમયમાં તે પણ ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ થઇ છે. આમ પણ કોંગ્રેસમાંથી એક પછી એક નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે તેથી અમરીશ ડેર દ્વારા પક્ષ પલટાની સંભાવના પ્રબળ બની છે.


જમાવટની સાથે ચર્ચા કર્યા બાદ અમરીશ ડેરનું નિવેદન

અમરીશ ડેરે નિવેદન આપ્યું હતું કે, ભાવનગર નાગરીક સમિતિ અને કિર્તીદાન ગુજરાત ગૌરવ સમિતિ આયોજીત આ કાર્યક્રમ હતો. ખાલી ભાજપના નેતા નહોતા, કિર્તિદાનભાઈ અને હું નજીકના મિત્રો છીએ અને એમનું સન્માન થતું હોય તો મારે હાજર રહેવું જ જોઈએ. કાર્ડની અંદર આમંત્રીતોમાં અર્જુન મોઢવાડિયા, ભાવનગરના કે.કે.ગોહીલ સહીતના લોકોના નામ હતા. તો આમાં ભાજપ-કૉંગ્રેસનો સવાલ જ નથી. 
જો કે ચૂંટણી પહેલા કોઈપણ વિપક્ષી નેતા શાસકપક્ષના નેતાઓ સાથે દેખાય એટલે તરત જ ચર્ચાઓ શરૂ થઈ જતી હોય છે.


અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.