મંત્રાલયમાં ફેરફારએ શું સજા છે?, પૂર્વ કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-05-19 17:44:39

કાયદા મંત્રાલયમાંથી હટાવવા પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે કાયદા મંત્રીના પદ પર રહીને તેમણે કોઈ ભૂલ કરી નથી. એક મંત્રાલયમાંથી બીજા મંત્રાલયમાં શિફ્ટ થવું એ સામાન્ય પ્રક્રિયા છે. રિજિજુ આજે 19 મે, શુક્રવારની સવારે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાં ચાર્જ લેવા પહોંચ્યા હતા, આ દરમિયાન તેમણે આ વાત કરી હતી.


કિરેન રિજિજુએ આપી પ્રતિક્રિયા 


ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, કિરેન રિજિજુએ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની જવાબદારી સંભાળ્યા બાદ કહ્યું કે, 'વિપક્ષ ચોક્કસ મારી ટીકા કરશે... કોઈ વિપક્ષ મારા વખાણ નહીં કરે, આમાં કંઈ નવું નથી, તેઓ ચોક્કસ મારી વિરુદ્ધ બોલશે. આ પરિવર્તન કોઈ ભૂલને કારણે થયું નથી. આ ફેરબદલ પ્રેમથી થયો છે….મંત્રાલય બદલાવ એ કોઈ સજા નથી, આ સરકારની યોજના છે, આ એક સામાન્ય બાબત છે, તે પીએમ મોદીનું વિઝન છે...’


રિજિજુને હટાવાતા રાજકારણ ગરમાયું હતું 


અત્રે ઉલ્લેખનિય છે કે 18 મેના રોજ કિરેન રિજિજુને કાયદા મંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમની જગ્યાએ અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીની સલાહ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેબિનેટ ફેરબદલને મંજૂરી આપી હતી. રિજિજુને કાયદા મંત્રાલયમાંથી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જ્યારે, અર્જુન રામ મેઘવાલને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત કાયદા અને ન્યાય મંત્રાલયનો સ્વતંત્ર હવાલો પણ આપવામાં આવ્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.