અમદાવાદના જમાલપુરમાં કિન્નરો અને સ્થાનિકો વચ્ચે બબાલ, પોલીસે 4 લોકોની કરી અટકાયત


  • Published By :
  • Published Date : 2023-06-25 13:34:28

અમદાવાદના ચાર રસ્તા નજીક ગધાભાઇની ચાલીમાં ગઈ કાલે કિન્નરો અને સ્થાનિકો વચ્ચે અથડામણની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર આ બબાલ જૂની અદાવતમાં થઈ હોય તેવું સામે આવી રહ્યું છે. સ્થાનિકો અને કિન્નરો વચ્ચેની અથડામણમાં એક વાહનને અને ઘરને આગ લગાવવામાં આવી હતી. બબાલના પગલે ગાયકવાડ હવેલી, દાણીલીમડા, કાગડાપીઠ પોલીસ દોડી આવી હતી.  


જમાલપુરમાં કિન્નરોનો આતંક


જમાલપુરમાં સ્થાનિકો અને કિન્નરો વચ્ચે ઉગ્ર બબાલ બાદ ઘરમાં તોડફોડ, આગચંપી તેમજ વાહનો સળગાવામાં આવ્યા હતા. એક ઘરમાં પણ આગ લાગવતા ઘરનો સામના બળીને ખાખ થઈ ગયો હતો. જેના પગલે વિસ્તારમાં ભારે તંગદીલી સર્જાઈ હતી. આગની ઘટનાના પગલે સ્થાનિકોએ અને ફાયર વિભાગના જાણ કરતા ફાયર વિભાગની 4 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા કાગડાપીઠ સહિત દાણીલીમડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા ત્રણ વર્ષથી કિન્નર ચાલીમાં વસવાટ કરી રહ્યાં છે. અને અસમાજિક પ્રવૃતિ આચરી લોકોમાં ભયનો માહોલ ઊભા કરી રહ્યા છે. 


4 લોકોની અટકાયત


સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતી પર કાબૂ મેળવ્યો હતો. આ જૂથ અથડામણની ઘટનામાં પોલીસે 4 લોકોની અટકાયત કરી છે. તેમજ વધુ તપાસ હાથ ધરી છે. તેમજ પોલીસ દ્વારા આ વિસ્તારોમાં હાલ પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.