કિંગ ઓફ સાળંગપુરની 54 ફુટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરાયું, દાદાને દર્શને માનવ મહેરામણ ઉમટ્યું


  • Published By :
  • Published Date : 2023-04-05 22:57:16

સાળંગપુરના પ્રખ્યાત કષ્ટભંજન દેવ મંદિર પરીસરમાં કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ લાખ્ખો શ્રદ્ધાળુંઓની ઉપસ્થિતિમાં મૂર્તિને વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ સહિત અન્ય સંતો દ્વારા હનુમાન દાદાની પંચધાતુની આ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  54 ફુટ ઉંચી દાદાની મૂર્તિના શ્રદ્ધાળુંઓએ દર્શન કરી ધન્યતા અનુભવી છે. સાત કિમી દુરથી આ વિશાળકાય મૂર્તિના દર્શન થઈ શકશે. હનુમાનજીની આ મહાકાય મૂર્તિને હરિયાણાના માણેશ્વરમાં તૈયાર કરવામાં આવી હતી. જે બાદ તેના અલગ અલગ ભાગને બાય રોડ લાવવામાં આવ્યાં હતા. જેને જોઈન્ટ કરવાનું કામ લગભગ છેલ્લા 8 મહિનાથી ચાલી રહ્યું હતું.


વિવિઘ કાર્યક્રમોનું આયોજન


હનુમાનની મૂર્તિના અનાવરણ બાદ સાળંગપુર ધામનો મહિમા દર્શાવતો ભવ્ય શો યોજાયો હતો. તેમજ કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા અને પ્રદક્ષિણા પથ પર લાઈટ્સ, પેટર્ન અને ડોક્યુમેંટ્રી ફિલ્મ દ્વારા જોરદાર દૃશ્યો પ્રસ્તુત થયાં હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓની ઉપસ્થિતિમાં 13 મિનિટના શોમાં સાળંગપુરની સમગ્ર કહાની એક નવા અંદાજમાં રજૂ કરવામાં આવી હતી. અહીં લોક ગાયક કલાકાર ઓસમાન મીર અને નિર્મલદાન ગઢવીએ પણ પર્ફોર્મન્સ આપ્યું હતું. 


દાદાની મૂર્તિની આ છે વિશેષતા


-72 ફૂટ લાંબા, 72 ફૂટ પહોળા અને 25 ઉંચા બેઝ પર દાદાની મૂર્તિ વિરાજિત કરાઈ છે. -આ બેઝ તૈયાર થતાં 1 વર્ષ જેટલો સમય લાગ્યો હતો.

-50 હજાર ઘનફૂટ સોલિડ ગ્રેનાઇટ રોક અને 30 હજાર ઘન ફૂટ લાઇમ કોંક્રિટથી -ફાઉન્ડેશન બનાવ્યું છે અને 4 હજાર ઘનફૂટ વ્હાઇટ માર્બલથી બેઝ પર લગાવાયો છે. -આ વ્હાઇટ માર્બલ મકરાણાથી મંગાવાયા હતા.

-બેઝની વૉલ પર નાગરાદિ શૈલીનું કોતરણીકામ કરાયું છે. બેઝની ફરતે દાદાની પરિક્રમા 754 ફૂટ લાંબી હશે. બેઝ પર સાળંગપુર ધામના ઈતિહાસના દર્શન થશે. આ બૅઝ 200-300 વર્ષ સુધી અડીખમ રહેશે.

-મૂર્તિના બેઝની ફરતે કુલ 36 દેરી બનાવાઇ છે. આ દેરીની સાઇઝ 15.6 x15.6 ફૂટ છે અને દેરીના ધુમટની સાઇઝ 9.6 x 8.3 ફૂટ છે.

-36 દેરીમાં કુલ ચાર-ચાર સ્તંભ છે. એક દેરીમાં 425 ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ થયો. દેરી માટે પથ્થર રાજસ્થાનના બંસી પહાડપુરથી મંગાવાયો છે.

-મૂર્તિની સામે 64,634.22 સ્ક્વેર ફીટમાં ગાર્ડન બનાવાયો છે.

-હનુમાનજી મહારાજનું મુખારવિંદ 6.5 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે જ્યારે દાદાનો મુગટ 7 ફૂટ ઊંચો અને 7.5 ફૂટ પહોળો છે. 

- દાદાની ગદા 27 ફૂટ લાંબી અને 8.5 ફૂટ પહોળી છે અને હાથ 6.5 ફૂટ લાંબા અને 4 ફૂટ  પહોળા છે જ્યારે પગ 8.5 ફૂટ લાંબા અને 4 ફૂટ પહોળા છે. પગનાં         કડાં 1.5 ફૂટ ઊંચા અને 3.5 ફૂટ પહોળાં છે

-હનુમાનજી મહારાજના આભૂષણ 24 ફૂટ લાંબા 10 ફૂટ પહોળા છે.

-'કિંગ ઓફ સાળંગપુર' 7 કિમી દૂરથી દેખાશે 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!