હિંમતનગર અને અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે હત્યા, ખુશીનો તહેવાર માતમમાં ફેરવાયો


  • Published By :
  • Published Date : 2023-11-15 14:53:29

ગુજરાત અને દેશભરમાં દિવાળીના તહેવારની ભારે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. જો કે સાબરકાંઠાના હિંમતનગરના એક ગામમાં તહેવારના દિવસે નજીવી બાબતે એક વૃધ્ધની હત્યા થતાં આનંદનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. નવા ગામમાં સાત લોકોએ ફટાકડા ફોડવા મામલે વૃધ્ધ સાથે મારામારી કરતા વૃધ્ધનું મોત નિપજ્યું હતું. આ ઘટનાના સમાચાર મળતા પોલીસ દોડી આવી હતી અને આરોપીઓની ધરપકડ કરી હતી. આ જ પ્રકારની ઘટના અમદાવાદમાંના રામોલ વિસ્તારમાં પણ બની હતી. 


સિવિલ હૉસ્પિટલમાં મોત


સાબરકાંઠાના હિંમતનગરના નવા ગામમાં લોકો ફટાકડા ફોડી રહ્યા હતા,  ત્યારે એક વૃધ્ધે તેમને દુર જઈને ફટાકડા ફોડવાનું કહેતા મામલો વણસ્યો હતો. રાત્રીના સમયે ફટાકડા ફોડવા જેવી નજીવી થયેલી તકરાર ઉગ્ર બની હતી. ફટાકડા ફોડી રહેલા લોકો પૈકીના સાત જણાએ વૃધ્ધ સાથે ગાળાગાળી અને  મારામારી કરી હતી. પરિસ્થિતી એટલી વણસી કે તે વૃધ્ધ ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જો કે સારવાર દરમિયાન જ તે વૃધ્ધનું મોત નિપજ્યું  હતું. 


7 લોકોની ધરપકડ


વૃધ્ધના મોત બાદ મૃતકની પુત્રીએ સાત લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. મૃતકની દીકરીએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તે સાત લોકોની ધરપકડ કરી કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે સાતેય આરોપીઓને ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યાં હતા. નવા ગામની આ ઘટના બાદ સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો છે. 


અમદાવાદના રામોલમાં હત્યા


અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરના રામોલમાં ફટાકડા ફોડવા બાબતે પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પિતા પુત્રનું મોત થયું હતું. 4 વ્યક્તિઓએ છરી વડે પરિવાર પર હુમલો કર્યો હતો જેમાં પિતા વિજય શંકર અને પુત્ર બંસીલાલનું મોત થયું હતું. રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!