હિંમતનગર અને અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે હત્યા, ખુશીનો તહેવાર માતમમાં ફેરવાયો


  • Published By :
  • Published Date : 2023-11-15 14:53:29

ગુજરાત અને દેશભરમાં દિવાળીના તહેવારની ભારે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. જો કે સાબરકાંઠાના હિંમતનગરના એક ગામમાં તહેવારના દિવસે નજીવી બાબતે એક વૃધ્ધની હત્યા થતાં આનંદનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. નવા ગામમાં સાત લોકોએ ફટાકડા ફોડવા મામલે વૃધ્ધ સાથે મારામારી કરતા વૃધ્ધનું મોત નિપજ્યું હતું. આ ઘટનાના સમાચાર મળતા પોલીસ દોડી આવી હતી અને આરોપીઓની ધરપકડ કરી હતી. આ જ પ્રકારની ઘટના અમદાવાદમાંના રામોલ વિસ્તારમાં પણ બની હતી. 


સિવિલ હૉસ્પિટલમાં મોત


સાબરકાંઠાના હિંમતનગરના નવા ગામમાં લોકો ફટાકડા ફોડી રહ્યા હતા,  ત્યારે એક વૃધ્ધે તેમને દુર જઈને ફટાકડા ફોડવાનું કહેતા મામલો વણસ્યો હતો. રાત્રીના સમયે ફટાકડા ફોડવા જેવી નજીવી થયેલી તકરાર ઉગ્ર બની હતી. ફટાકડા ફોડી રહેલા લોકો પૈકીના સાત જણાએ વૃધ્ધ સાથે ગાળાગાળી અને  મારામારી કરી હતી. પરિસ્થિતી એટલી વણસી કે તે વૃધ્ધ ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જો કે સારવાર દરમિયાન જ તે વૃધ્ધનું મોત નિપજ્યું  હતું. 


7 લોકોની ધરપકડ


વૃધ્ધના મોત બાદ મૃતકની પુત્રીએ સાત લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. મૃતકની દીકરીએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તે સાત લોકોની ધરપકડ કરી કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે સાતેય આરોપીઓને ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યાં હતા. નવા ગામની આ ઘટના બાદ સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો છે. 


અમદાવાદના રામોલમાં હત્યા


અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરના રામોલમાં ફટાકડા ફોડવા બાબતે પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પિતા પુત્રનું મોત થયું હતું. 4 વ્યક્તિઓએ છરી વડે પરિવાર પર હુમલો કર્યો હતો જેમાં પિતા વિજય શંકર અને પુત્ર બંસીલાલનું મોત થયું હતું. રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.