રાજકોટમાં કાતિલ ઠંડીના કારણે વિદ્યાર્થિનીના મોત બાદ સરકાર સફાળી જાગી, કરી આ જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-18 17:21:37

રાજકોટમાં ધોરણ 8માં ભણતી વિદ્યાર્થિનું કાતિલ ઠંડીના કારણે મોત બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. રાજકોટની જસાણી સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતી રિયા નામની વિદ્યાર્થી સ્કૂલની અંદર અચાનક બેભાન થઈને તે ઢળી પડી હતી બાદમાં તેનું મોત થયું હતું. આ ઘટના બાદ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો અને કડકડતી ઠંડીમાં શાળાઓનો સમય બદલવાની માગ ઉઠી હતી. 


રાજ્ય સરકારે શું જાહેરાત કરી?


હાંડ થીજવતી ઠંડીના કારણે વિદ્યાર્થિની રિયાને હાર્ટ એટેક આવ્યો અને તરત જ ટ્રિટમેન્ટ ન મળતા તેનું મોત થઈ ગયું હતું. આ સમગ્ર મામલે હવે રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ પાસેથી રિપોર્ટ માગવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે રાજકોટના શિક્ષણાધિકારી સાથે બેઠક કરી હતી અને શાળાઓ તેમની મરજી મુજબના સ્વેટર પહેરવા વિદ્યાર્થીઓને આગ્રહ ન કરે તેવી પણ ટકોર તેમણે કરી હતી.


AMC સ્કૂલ બોર્ડે કર્યો સમયમાં ફેરફાર


વધતી ઠંડીને લઈને AMC સ્કૂલ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્કૂલ બોર્ડ દ્વારા સમયમાં છૂટછાટ આપવામાં આવી છે. અત્યાર સુધી સ્કૂલનો સમય સવારે 7.30 કલાકનો હતો ત્યારે ઠંડીને કારણે વિદ્યાર્થીઓ સ્કૂલે 8 વાગ્યે જઈ શકશે. સવારે વિદ્યાર્થીઓ 7.30 કલાકને બદલે જો 8 વાગ્યે સ્કૂલ પહોંચે તો વિદ્યાર્થીઓને શિક્ષક ઠપકો ન આપે તેવી ખાસ સૂચના આપવામાં આવી છે.


રાજકોટની શાળાનો સમય સવારે 8 વાગ્યાનો


રાજકોટની તમામ સ્કૂલોના સમયમાં ફેરફાર કરવા આદેશ અપાયો છે. તમામ સ્કૂલનો સમય સવારે 8 વાગ્યાનો કરવા આદેશ કરાયો છે. DEOની ટીમ આવતીકાલથી સ્કૂલના સમય ફેરફારના અમલીકરણનું ચેકિંગ કરશે. ગઈકાલે રાજકોટમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું હતું. ઠંડીમાં હાર્ટ એટેક આવવાથી વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું હતું. વિદ્યાર્થિનીના મૃત્યુ બાદ વાલીઓએ પણ સ્કૂલોનો સમય 8 વાગ્યાનો કરવા માગ કરી હતી. 


કચ્છની શાળાઓનો સમય બદલાયો


કચ્છની શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે. કોલ્ડ વેવની આગાહીને ધ્યાને રાખીને શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે. કચ્છની તમામ પ્રાથમિક શાળાઓનો સમય 2 કલાક સુધી લંબાવાયો છે. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આદેશ કર્યો છે. આગામી એક સપ્તાહ સુધી સમયમાં ફેરફાર રહેશે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.