રાજકોટમાં કાતિલ ઠંડીના કારણે વિદ્યાર્થિનીના મોત બાદ સરકાર સફાળી જાગી, કરી આ જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-18 17:21:37

રાજકોટમાં ધોરણ 8માં ભણતી વિદ્યાર્થિનું કાતિલ ઠંડીના કારણે મોત બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. રાજકોટની જસાણી સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતી રિયા નામની વિદ્યાર્થી સ્કૂલની અંદર અચાનક બેભાન થઈને તે ઢળી પડી હતી બાદમાં તેનું મોત થયું હતું. આ ઘટના બાદ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો અને કડકડતી ઠંડીમાં શાળાઓનો સમય બદલવાની માગ ઉઠી હતી. 


રાજ્ય સરકારે શું જાહેરાત કરી?


હાંડ થીજવતી ઠંડીના કારણે વિદ્યાર્થિની રિયાને હાર્ટ એટેક આવ્યો અને તરત જ ટ્રિટમેન્ટ ન મળતા તેનું મોત થઈ ગયું હતું. આ સમગ્ર મામલે હવે રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ પાસેથી રિપોર્ટ માગવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે રાજકોટના શિક્ષણાધિકારી સાથે બેઠક કરી હતી અને શાળાઓ તેમની મરજી મુજબના સ્વેટર પહેરવા વિદ્યાર્થીઓને આગ્રહ ન કરે તેવી પણ ટકોર તેમણે કરી હતી.


AMC સ્કૂલ બોર્ડે કર્યો સમયમાં ફેરફાર


વધતી ઠંડીને લઈને AMC સ્કૂલ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્કૂલ બોર્ડ દ્વારા સમયમાં છૂટછાટ આપવામાં આવી છે. અત્યાર સુધી સ્કૂલનો સમય સવારે 7.30 કલાકનો હતો ત્યારે ઠંડીને કારણે વિદ્યાર્થીઓ સ્કૂલે 8 વાગ્યે જઈ શકશે. સવારે વિદ્યાર્થીઓ 7.30 કલાકને બદલે જો 8 વાગ્યે સ્કૂલ પહોંચે તો વિદ્યાર્થીઓને શિક્ષક ઠપકો ન આપે તેવી ખાસ સૂચના આપવામાં આવી છે.


રાજકોટની શાળાનો સમય સવારે 8 વાગ્યાનો


રાજકોટની તમામ સ્કૂલોના સમયમાં ફેરફાર કરવા આદેશ અપાયો છે. તમામ સ્કૂલનો સમય સવારે 8 વાગ્યાનો કરવા આદેશ કરાયો છે. DEOની ટીમ આવતીકાલથી સ્કૂલના સમય ફેરફારના અમલીકરણનું ચેકિંગ કરશે. ગઈકાલે રાજકોટમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું હતું. ઠંડીમાં હાર્ટ એટેક આવવાથી વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું હતું. વિદ્યાર્થિનીના મૃત્યુ બાદ વાલીઓએ પણ સ્કૂલોનો સમય 8 વાગ્યાનો કરવા માગ કરી હતી. 


કચ્છની શાળાઓનો સમય બદલાયો


કચ્છની શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે. કોલ્ડ વેવની આગાહીને ધ્યાને રાખીને શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે. કચ્છની તમામ પ્રાથમિક શાળાઓનો સમય 2 કલાક સુધી લંબાવાયો છે. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આદેશ કર્યો છે. આગામી એક સપ્તાહ સુધી સમયમાં ફેરફાર રહેશે.



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .