ખોડલધામ આસ્થાનું કેન્દ્ર કે રાજકીય અખાડો, મંદિરમાં રાજકીય ચર્ચાઓ શા માટે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 16:18:04

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા દરેક રાજકીય પક્ષ પાટિદાર વોટબેંકને પોતાની તરફ આકર્ષવા પ્રયાસો કરી રહ્યો છે. પાટીદાર સમાજના નેતાઓ સાથે બંધબારણે બેઠકો કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના કાગવડ સ્થિત ખોડલધામ લેઉવા પટેલ સમાજની આસ્થાનું પ્રતિક છે અને વિખ્યાત ધર્મસ્થળ તરીકે ઉભરી આવ્યું છે. દેશ-વિદેશના હજારો - લાખો લેઉવા પટેલ દર્શનાર્થે આવે છે. અન્ય ધર્મના લોકો પણ આસ્થા-શ્રધ્ધા ધરાવે છે અને દર્શનાર્થે આવે છે. કોઈ પણ સામાજીક કે રાજકીય કાર્યક્રમો વખતે પણ નેતાઓ અને સામાજીક આગેવાનો માથું ટેક્વવા જતા હોય છે. લેઉવા પટેલ સમાજના મતદારોને રીઝવવા માટે ચૂંટણી વખતે નેતાઓની મુલાકાતો વધી જતી હોય છે.


ચૂંટણી પહેલા કયા નેતાઓએ  લીધી ખોડલધામની મુલાકાત


ખોડલધામ ભલે ધાર્મિક યાત્રા ધામ હોય પણ તે રાજકીય મેળાવડાનું પણ કેન્દ્ર સ્થાન રહ્યું છે. ગુજરાતના તમામ રાજકીય પક્ષોના નેતાઓ ખોડિયાર માતાના દર્શનના બહાને આ ધાર્મિક સ્થળની મુલાકાત લેવા આવે છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની તો અહીં રજતતુલા થઈ હતી. ખોડલધામમાં સી.આર. પાટીલને 105 કિલો ચાંદીથી તોલવામાં આવ્યા હતા. મંદિરમાં પહેલીવાર કોઈ રાજકીય આગેવાનની રજતતુલા યોજાઈ હતી. તે ઉપરાંત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ અગ્રણી કોંગ્રેસ નેતાઓ સાથે મંદિરની મુલાકાત લીધી હતી અને સમાજના અગ્રણી નરેશ પટેલ સાથે બંધબારણે ચર્ચા કરી હતી. આજે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ખોડલધામની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31મી ઓક્ટોબરે ખોડલધામની મુલાકાત લે તેવી શક્યતા છે.


રાજકીય અખાડો બન્યું ખોડલ ધામ


ખોડલધામ લાખો પાટીદારોનું જ નહીં પણ અન્ય જાતિઓનું પણ આસ્થા કેન્દ્ર છે ત્યારે સવાલ એ થાય કે આ પવિત્ર યાત્રાધામનો ઉપયોગ રાજકીય અખાડા તરીકે કરવો કેટલો યોગ્ય છે. શા માટે તમામ રાજકારણીઓની મિટીંગો આ યાત્રાધામમાં જ કરવામાં આવે છે. મંદિર રાજકીય ચર્ચાનું સ્થળ થોડું છે? ત્યારે મંદિરના વહીવટકર્તાઓને એક જ સવાલ પુછવાનું મન થાય કે મંદિરની તો મર્યાદા રાખો?




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.