જગદીશ ઠાકોર અને નરેશ પટેલની બંધબારણે બેઠકથી અનેક તર્કવિતર્ક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 15:36:49

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો જે તે જાતિ,જ્ઞાતિ કે સમાજના આગેવાનોને પોતાના પક્ષમાં ખેંચવા માટે પ્રયાસો  કરી રહ્યા છે. સમાજના આગેવાનો કોઈ પણ પાર્ટીમાં જાય તો તેની સાથે તેમના સમાજના લોકો પણ તેમનું આંધળું અનુસરણ કરતા હોય છે. આ બાબતથી સારી રીતે વાકેફ રાજકીય પાર્ટીઓના નેતાઓ હાલ વિવિધ સામાજીક આગેવાનો સાથે બંધબારણે બેઠકો કરી રહ્યા છે.


ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે જગદીશ ઠાકોરની બેઠક 


ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે બંધ બારણે બેઠક કરતાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા આ બન્ને આગેવાનો વચ્ચે બેઠક થતા રાજકારણ ગરમાયું છે.  જો કે નરેશભાઈ પટેલની પ્રેસ કોંફરન્સમાં જણાવ્યું હતું કે, જગદીશ ઠાકોર સાથે કોઈ રાજકીય ચર્ચા થઈ નથી, તેમણે વધુમાં કહ્યું કે, અત્યારે આગેવાનો સાથે મારી ઓફિસમાં બેઠક ચાલતી હતી, તેમાં ફક્ત સામાજિક અને જૂની વાતો મિત્રતાની હોય તે જ થઈ છે. કોઈ રાજકીય ચર્ચા થઈ નથી. જ્યારે રાજકીય ચર્ચાનો સમય આવશે ત્યારે હું આપને કહીશ. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, તમામ સમાજના લોકોને વસ્તી ગણતરી મુજબ ટિકિટ મેળવવાનો હક છે. આ દરમિયાન ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપતા કહ્યું છે કે તે કોંગ્રેસમાં જ રહેવાના છે. લલિત વસોયા ભાજપમાં જાય તેવી ચર્ચાએ જોર પકડતા ખોડલધામ મંદિરમાં વસોયાએ તેમનું વલણ સ્પષ્ટ કર્યું હતું.



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.