સાન ફ્રાંન્સિસ્કોમાં ખાલિસ્તાનીઓનો ભારતીય દુતાવાસ પર હુમલો, અમેરિકાએ ઘટનાને વખોડી, FBI કરી રહી છે તપાસ


  • Published By :
  • Published Date : 2023-07-04 20:46:56

ખાલિસ્તાન સમર્થકોએ શનિવારે (2 જુલાઈ)ના રોજ મોડી રાત્રે અમેરિકામાં ભારતીય દુતાવાસને આગના હવાલે કરી દીધા બાદ અમેરિકાએ પણ કડક વલણ અપનાવ્યું છે. આ હરકત શિખ ફોર જસ્ટીસના આતંકી ગુરૂપરવંત સિંહ પન્નના 8 જુલાઈથી વિદેશમાં બનેલા ભારતીય દુતાવાસોને ઘેરવાની જાહેરાતના આગળના દિવસે જ આ હરકત કરવામાં આવી છે. ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) આ ઘટનાની તપાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ શનિવાર રાત્રે 1.30થી 2.30 વાગ્યા દરમિયાન ભારતીય વાણિજ્ય દુતાવાસમાં આગ લગાવી દીધી હતી. જો  કે સાન ફ્રાન્સિસ્કોના ફાયર વિભાગે તે આગ પર તરત જ કાબુ મેળવી દીધો હતો. 


ખાલિસ્તાનીઓએ વિડીયો જારી કર્યો


મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ભારતના વાણિજ્ય દુતાવાસને બહું નુકસાન થયું નથી અને કોઈ કર્મચારી પણ ઘાયલ થયો નથી. કથિત રીતે ખાલિસ્તાની સમર્થકોએ આ ઘટનાના સંદર્ભમાં એક વિડીયો જારી કર્યો છે, જો કે આ વીડિયો સાચો હોવાની પુષ્ટી કરવામાં આવી નથી.


અમેરિકાએ ઘટનાની નિંદા કરી 


અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યૂ મિલરે આ મામલે ટ્વીટ કર્યુ હતું. તેમણે કહ્યું  કે " અમેરિકા શનિવારે સાન ફ્રાંન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દુતાવાસ સામે કથિત બર્બરતા અને આગજનીના પ્રયાસોની કટુ નિંદા કરે છે" અમેરિકામાં રાજનૈતિક સુવિધાઓ કે વિદેશી રાજદુતો સામે બર્બરતા કે હિંસા એક મોટો અપરાધ છે."



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.