ખાલિસ્તાની આતંકી પન્નૂએ ભગવંત માનને આપી મોતની ધમકી, 26 જાન્યુઆરીએ નિજ્જરની હત્યાનો બદલો લેશે


  • Published By :
  • Published Date : 2024-01-16 15:48:12

પ્રતિબંધિત સંગઠન સિખ ફોર જસ્ટીસ (SFJ)ના સ્થાપક  અને અમેરિકામાં રહેતા આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂએ પ્રજાસત્તાક દિવસ અગાઉ ભારતીય નેતાઓને મોતની ધમકી આપી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પંજાબના ટોચના પોલીસ અધિકારી ગૌરવ યાદવે ગેંગસ્ટરો સામે રાજ્ય પોલીસની ઝીરો ટોલરન્સની નિતી પર ભાર મુકતા આવા કોઈ પણ પ્રકારના ષડયંત્રમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવાની વાત કહીં છે. 


હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો બદલો


સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ છે, જેમાં પન્નૂ એક ખાલિસ્તાની નકશા સાથે ઉભો છે. તેમાં 26 જાન્યુઆરીના રોજ યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડના પહેલા હુમલાની વાત લખી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે હરદીપ સિંહ નિજ્જરની મોતનો બદલો લેવાનો છે. પન્નૂએ કહ્યું છે કે તેમણે ભારતના પ્રજાસત્તાક દિવસ દરમિયાન માન પર હુમલો કરવા માટે ગેંગસ્ટરોને કહ્યું છે, ભગવંત માનની પુત્રી સીરત કૌરને પણ ગત વર્ષે માર્ચમાં ધમકી આપવામાં આવી હતી. અમેરિકામાં રહેતી સીરત કૌરને ખાલિસ્તાની આતંકવાદી અમૃતપાલ સિંહની શોધ દરમિયા ધમકીઓ મળી હતી. ઉલ્લેખનિય છે કે  હરદીપ સિંહ નિજ્જરની હત્યા ગત વર્ષે 18 જૂનના રોજ કરી દેવામાં આવી હતી.  



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.