કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો બેફામ, ભારતીય દૂતાવાસની બહાર ધરણા, તિરંગાનું કર્યું અપમાન


  • Published By :
  • Published Date : 2023-12-17 16:47:33

કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો અને તેમની ભારત વિરોધી પ્રવૃત્તિઓને લઈને ભારત અને કેનેડા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન, ફરી એકવાર ભારતીય દૂતાવાસની બહાર એકઠા થયા છે અને ભારત વિરુદ્ધ પ્રદર્શન શરુ કર્યું છે. ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસની બહાર આ પ્રદર્શન યોજાયું હતું. આ દરમિયાન ખાલિસ્તાનીઓએ ફરી એકવાર તિરંગાનું અપમાન કર્યું હતું. રસ્તા પર તિરંગો પાથર્યો, તેના પર ચંપલ મૂક્યા અને સળગાવ્યો હતો. આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને 108 દિવસ થઈ ગયા છે અને ખાલિસ્તાની સમર્થકો સતત ભારતીય રાજદ્વારી સંજય કુમાર વર્માની ધરપકડની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ખાલિસ્તાની સમર્થકો માઈક અને ખાલિસ્તાનના ઝંડા લઈને પહોંચ્યા હતા.  

 


હનુમાનજીની પ્રતિમાનો વિરોધ


કેનેડામાં હનુમાનજીની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપવામાં આવશે તેની સામે પણ ખાલિસ્તાની સમર્થકોએ સવાલો ઉભા કર્યા છે. કેનેડામાં સ્થાપના કરવામાં આવનાર હનુમાનજીની પ્રતિમા સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ખાલિસ્તાની સમર્થકોનો આરોપ છે કે ભારતીય હિન્દુઓ કેનેડા પ્રત્યે વફાદાર નથી. આવી સ્થિતિમાં, શું તેમના દેવતા હનુમાનજીની પ્રતિમાને કેનેડામાં સ્થાપિત કરવાની મંજૂરી આપવી જોઈએ? ઉલ્લેખનીય છે કે કેનેડાના બ્રેમ્પટનમાં હનુમાનજીની 55 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ કેનેડાની સૌથી ઊંચી પ્રતિમા છે. જેને રાજસ્થાનના શિલ્પકાર નરેશ કુમાવતે તૈયાર કરી છે. તે 23 એપ્રિલ 2024ના રોજ હનુમાન જયંતિ પર કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં અભિષેક પછી સત્તાવાર રીતે સ્થાપના કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.આશ્ચર્યની વાત તો એ છે કે, આ હિંસક પ્રદર્શન દરમિયાન, કેનેડિયન પોલીસે પણ દરમિયાનગીરી કરી ન હતી અથવા તેમને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો.



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.