બરોડા ડેરીના સત્તાધીશો સામે કેતન ઈનામદારે ખોલ્યો મોરચો, વડોદરામાં ધારાસભ્યો અને પશુપાલકોએ કર્યા ધરણા


  • Published By :
  • Published Date : 2023-02-20 17:37:08

થોડા સમય પહેલા બરોડા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ ધારાસભ્ય કેતન ઈનામદારે એક નિવેદન આપ્યું હતું. ડેરીમાં ભ્રષ્ટાચાર અને ભાઈ ભત્રીજાવાદને ખુલ્લો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભ્રષ્ટાચાર અંગે અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા. ધારાસભ્યે સોમવાર સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ કોઈ નિર્ણય ન આવતા ધારાસભ્ય કેતન ઈનામદારે પ્રતીક ધરણા કર્યા હતા. 


બરોડા ડેરી સામે ધરણા પર બેઠા ધારાસભ્ય         

બરોડા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પણ સીએમને પત્ર લખી આ અંગે રજૂઆત કરી હતી. બરોડા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અને પશુપાલકોને થતા અન્યાય સામે ધારાસભ્યે બાયો ચઢાવી છે. અનેક વખત રજૂઆત કરવા છતાંય કોઈ નિરાકરણ નહીં આવતા કેતન ઈનામદારે પ્રતીક ધરણા કર્યા હતા. પશુપાલકો તેમજ દૂધ ઉત્પાદકોએ આ અંગે બપોરના બાર વાગ્યાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે બાદ આજે પ્રતીક ધરણાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમની સાથે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પણ જોડાયા હતા.         




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.