બરોડા ડેરીમાં કથિત કૌભાંડને લઈ કેતન ઈનામદારે આપ્યું નિવેદન, સોમવાર સુધી સરકારને આપ્યો સમય


  • Published By :
  • Published Date : 2023-02-18 17:27:56

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. બરોડા ડેરીમાં ચાલી રહેલા ભ્રષ્ટ્રાચાર, સગાવાદ તથા ગેરવહીવટના આક્ષેપોના વિરોધમાં કેતન ઈનામદારે એક સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં સાવલી, ડેસર તથા અન્ય જિલ્લાઓમાંથી પશુ પાલકોએ ભાગ લીધો હતો. ડેરીના સત્તાધીશોને ધારાસભ્યે સોમવાર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. ડેરીના સત્તાધીશો યોગ્ય જવાબ નહીં આપે તો હું સોમવારથી ધરણાં પર ઉતરીશ. 


કેતન ઈનામદારે ધરણા કરવાની આપી ચીમકી 

મીડિયાને સંબોધતા કેતન ઈનામદારે કહ્યું હતું કે કેટલાક લોકો પોતાના બાપની પેઢી હોય તેમ ડેરી ચલાવે છે. ડેરીનું નિર્માણ જે હેતુથી કરવામાં આવ્યું તે હાલ થઈ રહ્યું નથી. વહીવટદારોની અણઘટ નીતિના કારણે ડેરીને મોટું નુકસાન થઈ રહ્યું છે. ડેરીમાં 6થી 7 લાખ લીટર દૂધ આવે છે. 35 લાખ સભાસદોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. પશુપાલકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. મારો અવાજ દબાવી શકશે નહીં હું છેલ્લા શ્વાસ સુધી લડીશ. સાથી ધારાસભ્યો પણ મારી સાથે છે. 


શું હતો સમગ્ર મામલો?

આ વાત ગયા મહિનાની છે. ગયા મહિને કેતન ઈનામદારે મુખ્યમંત્રીને પત્ર લખી ડેરીમાં ભ્રષ્ટ્રાચાર ચાલતો હોવાના આક્ષેપો કર્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે બરોડા ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા કુલદીપસિંહ રાઉલજી અને ડેરીના ડિરેક્ટર અને ઉપપ્રમુખ જી.બી.સોલંકીએ પોતાની સત્તાનો દુરૂપયોગ કર્યો છે. કુલદિપસિંહે પોતાના ભાઈના દીકરા જયરાજસિંહને પ્રોડક્શન સુપરવાઈઝર અને હાર્દિકસિંહને ઈલેક્ટ્રિકલ ટેક્નિશિયન તથા ભત્રીજાની વહુને ક્વોલિટી ટેસ્ટીંગમાં સુરવાઈઝર તરીકે નોકરીએ રાખ્યા છે.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.