કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનું સ્ફોટક નિવેદન, ભારતમાં જન્મેલી દરેક વ્યક્તી હિંદુ


  • Published By :
  • Published Date : 2023-01-29 17:07:17

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું કે હિંદુ કોઈ ધાર્મિક શબ્દ નથી, તે ભૌગોલિક શબ્દ છે. જે ભારતમાં જન્મ્યો છે, દેશમાં જ રહે છે અને જીવે છે, તેને હિંદુ કહેવા જોઈએ. આરીફ મોહમ્મદે કહ્યું કે તમારે મને પણ હિંદુ પણ કહેવો જોઈએ. અંગ્રેજોએ લોકોને ધર્મના આધારે વિભાજિત કર્યા હતા. તેમણે કેરળના તિરુવનંતપુરમમાં એક કાર્યક્રમમાં આ નિવેદન કર્યું હતું. 


ભારતમાં જન્મેલો દરેક માણસ હિંદુ 


કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન ઉત્તર અમેરિકામાં સ્થાયી થયેલા મલયાલી હિન્દુઓ દ્વારા આયોજિત 'હિંદુ સંમેલન'નું ઉદ્ઘાટન કરવા 28 જાન્યુઆરીએ તિરુવનંતપુરમ પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું કે સર સૈયદ અહેમદ ખાને એકવાર કહ્યું હતું કે મને નથી લાગતું કે હિંદુ કોઈ ધાર્મિક શબ્દ છે, તે ભૌગોલિક શબ્દ છે. જે ભારતમાં જન્મે છે તે ભારતમાં જન્મેલ અનાજ ખાય છે.. અહીંની નદીઓનું પાણી પીવે છે, તે હિંદુ કહેવડાવવાનો હકદાર છે.


અંગ્રેજોએ ભાગલા પડાવ્યા


આરિફ મોહમ્મદે કહ્યું કે તમારે મને પણ હિન્દુ માનવો જોઈએ... અંગ્રેજોના સમયમાં હિન્દુ, મુસ્લિમ અને શીખ જેવા શબ્દોનો ઉપયોગ થતો હતો. કારણ કે તેઓ ધર્મના આધારે લોકોને વહેંચતા હતા. આરિફ મોહમ્મદે બીબીસી ડોક્યુમેન્ટરીને પણ એક ષડયંત્ર ગણાવ્યું હતું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.