કેરળ સરકાર અને રાજ્યપાલ વચ્ચે ટસલ વધી, સરકારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા, સમગ્ર મામલો શું છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-11-02 17:08:17

કેરળ સરકાર અને રાજ્યપાલ વચ્ચેની ટસલ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. કેરળ સરકારે વિધાનસભામાં પસાર કરવામાં આવેલા બિલને મંજુરી આપવામાં રાજ્યપાલ દ્વારા કરવામાં આવેલા વિલંબ મામલે સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવ્યા છે. કેરળ સરકારે રાજ્યપાલ દ્વારા બિલને મંજુરી આપવામાં આવેલા વિલંબને બંધારણીય અધિકારોનો દુરુપયોગ ગણાવ્યો છે. હવે કેરળ સરકાર અને રાજ્યપાલ વચ્ચેની આ લડાઈમાં સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપશે તેના પર સૌની નજર છે.


કેરળ સરકારે શું માગ કરી?


સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કેરળ સરકારે રાજ્યપાલને કોઈ પણ પ્રકારના વિલંબ વિના પેન્ડિગ રહેલા તમામ બિલને સત્વરે મંજુરીની સુચના આપવાની સુપ્રીમ કોર્ટ સમક્ષ રજુઆત કરી છે. કેરળ સરકારે કહ્યું છે કે રાજ્યપાલ સમક્ષ રજુ કરાવમાં આવેલા બિલને યોગ્ય સમયની અંદર જ નિકાલ કરવામાં માટે તે બંધાયેલા છે.  


8થી વધુ બિલ પેન્ડિગ


કેરળ સરકારે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન દ્વારા રાજ્ય સરકારના બિલની મંજૂરીમાં વિલંબ કરવાથી રોકવાના કાનુની અને બંધારણીય ઉપાય કરવાની ગુહાર લગાવી છે. કેરળ સરકારે સુપ્રીમમાં કરેલી અરજીમાં રજુઆત કરી છે કે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન રાજ્ય વિધાનસભા દ્વારા પસાર બિલ પર વિચાર કરવામાં વિલંબ કરી રહ્યા છે. તેમના દ્વારા આઠથી વધુ લોક કલ્યાણથી સંબંધીત બિલ પર વિચાર કરવામાં બિનજરૂરી વિલંબ કરીને રાજ્યપાલ તેમના બંધારણીય કર્તવ્યોમાં નિષ્ફળ રહ્યા છે.


કેરળ ત્રીજુ રાજ્ય બન્યું


ઉલ્લેખનિય છે કે કેરળ ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ રાજ્ય સરકાર અને રાજ્યપાલ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ પહેલાં પંજાબ સરકાર, તમિલનાડુ સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. પંજાબ અને તમિલનાડુ સરકાર પણ તેમના પેન્ડિગ બિલોને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પંજાબ સરકારે 28 ઓક્ટોબર અને તમિલનાડુ સરકારે 31 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પંજાબ વિધાનસભાના 8 બિલ અને તમિલનાડુ વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા  12 બિલ હજુ પણ રાજ્યપાલની મંજુરી વગર પેન્ડિગ પડ્યા છે.  



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.