'ધ કેરળ સ્ટોરી' નફરત ફેલાવનારી, RSSની પ્રોપેગેન્ડા ફિલ્મ: CM પિનરાઈ વિજયન


  • Published By :
  • Published Date : 2023-04-30 19:08:40

ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' ફરી એકવાર વિવાદમાં ફસાઈ ગઈ છે. કેરળ સરકાર દ્વારા આ ફિલ્મની ટીકા કરવામાં આવી રહી છે. ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મને કેરળ સરકારના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને તેને પ્રોપેગેન્ડા ફિલ્મ ગણાવી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં ચૂંટણીના રાજકારણમાં ફાયદો મેળવવા માટે સંઘ પરિવાર દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી છે.


કેરળ વિરુદ્ધ નફરત ફેલાવવાનો ઉદ્દેશ્ય 


કેરળના CM પિનરાઈ વિજયને કહ્યું કે હિન્દી ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'નું ટ્રેલર ઇરાદાપૂર્વક સાંપ્રદાયિક ધ્રુવીકરણ અને કેરળ વિરુદ્ધ નફરત ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આ ફિલ્મ બિનસાંપ્રદાયિકતાની ભૂમિ કેરળમાં ખુદને ધાર્મિક ઉગ્રવાદના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે સંઘ પરિવારના પ્રચારને ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


લવ જેહાદના આરોપ પાયાવિહાણા 


CM પિનરાઈ વિજયને આરોપ લગાવ્યો કે ફિલ્મને ભારતીય જનતા પાર્ટીની વૈચારિક સમર્થક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સમર્થન છે. તેમણે વધુમાં કહ્યું કે કેરળમાં ચૂંટણીની રાજનીતિમાં માઈલેજ મેળવવા માટે સંઘ પરિવાર દ્વારા કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસોની પૃષ્ઠભૂમિમાં પ્રચારની ફિલ્મો અને તેમના મુસ્લિમ અલગાવને જોઈ શકાય છે. આ ફિલ્મ લવ જેહાદના આરોપ લગાવવા માટેના વ્યવસ્થિત પગલાનો એક ભાગ છે, જેને તપાસ એજન્સીઓ, અદાલતો અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ રદિયો આપ્યો હતો. જી. કિશન રેડ્ડીએ, તત્કાલિન ગૃહ રાજ્ય મંત્રી, જેઓ હજુ પણ કેબિનેટ મંત્રી છે, તેમણે સંસદમાં જવાબ આપ્યો કે લવ જેહાદ જેવી કોઈ વસ્તુ નથી.


ફિલ્મો દ્વારા વિભાજનની રાજનીતિનો પ્રયાસ


CMએ કહ્યું કે સંઘ પરિવારની રાજનીતિ અન્ય રાજ્યોની જેમ કેરળમાં કામ કરતી નથી, તેથી તેઓ નકલી વાર્તાઓ અને ફિલ્મો દ્વારા વિભાજનની રાજનીતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંઘ પરિવાર કોઈ પણ તથ્ય અને પુરાવા વગર આવી ખોટી વાતો ફેલાવી રહ્યો છે. કેરળમાં 32,000 મહિલાઓએ ઈસ્લામ ધર્મ અપનાવ્યો અને ઈસ્લામિક સ્ટેટમાં જોડાઈ, આ મોટું જૂઠ આપણે ફિલ્મના ટ્રેલરમાં જોયું. આ ફેક સ્ટોરી સંઘ પરિવારની જુઠ્ઠાણાની ફેક્ટરીનું ઉત્પાદન છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.