આતુરતાનો આવ્યો અંત, કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ-1માં પ્રવેશ માટે નોંધણી પ્રક્રિયાનો આજથી પ્રારંભ


  • Published By :
  • Published Date : 2023-03-27 13:33:41

વાલીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે. આજથી કેન્દ્રીય વિદ્યાલયની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે વાલીઓ તેમના બાળકને કેન્દ્રીય વિદ્યાલયમાં દાખલ કરવા માગે છે તેઓ kvsangathan.nic.in પર જઈને તેમના પ્રવેશ માટે નોંધણી કરાવી શકે છે. KVS ધોરણમાં પ્રવેશ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 17 એપ્રિલ 2023 છે.


પ્રવેશ માટેની શું છે પ્રક્રિયા? 


કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રથમ ધોરણમાં પ્રવેશ માટે લઘુત્તમ વય 6 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉંમર 31 માર્ચ 2023થી ગણવામાં આવશે. KVS વર્ગ 1 માં પ્રથમ કામચલાઉ પસંદગી અને પ્રતીક્ષા /યાદી 20 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવશે. જ્યારે, વર્ગ 2 માં પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા 3 એપ્રિલ 2023 ના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ થશે, જે 12 એપ્રિલ 2023 ના રોજ સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે.


નોંધણી પૂર્ણ થયા બાદ, પ્રથમ કામચલાઉ યાદી 20 એપ્રિલે બહાર પાડવામાં આવશે. જેના પર 21મી એપ્રિલથી પ્રવેશ શરૂ થશે. બીજી તરફ જો બેઠકો ખાલી રહેશે તો બીજા અને ત્રીજા રાઉન્ડની યાદી 28 એપ્રિલ અને 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 11 સિવાયના અન્ય વર્ગોની નોંધણી પ્રક્રિયા 3 એપ્રિલથી 12 એપ્રિલ સુધી ચાલશે. જે ઓફલાઈન મોડમાં હશે. 



KVS વર્ગ-1 પ્રવેશ માટે આ રીતે થશે નોંધણી


1-સૌપ્રથમ KVSની સત્તાવાર વેબસાઇટ પર જાઓ

2-kvsonlineadmission.kvs.gov.in ની મુલાકાત લો.

3-KVSની સત્તાવાર વેબસાઇટમાં નોંધણી કરો.

4-પછી નોંધણી પૂર્ણ થયા પછી લોગિન કરો અને પ્રવેશ ફોર્મ ભરો.

5-આ પછી માંગેલા દસ્તાવેજો અપલોડ કરો.

6-પછી અરજી ફોર્મ તપાસો.

7-અરજી ફોર્મ સબમીટ કરો.

8-અરજીની રસીદની પ્રિન્ટ આઉટ કાઢો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.