ગુજરાતના પ્રવાસે આવેલા કેજરીવાલે કહ્યું આ વખતે મૂકાબલો ભાજપ અને આપ વચ્ચે રહેશે


  • Published By :
  • Published Date : 2022-11-14 14:45:32

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દરેક પાર્ટી ચૂંટણી  પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. જ્યારથી ચૂંટણીની તારીખ જાહેર થઈ છે ત્યારથી દરેક પાર્ટી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સીટો મેળવવા પ્રયાસ કરી રહી છે. અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાત આવી આપનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે હાલ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન કેજરીવાલે કહ્યું આ વખતે મુકાબલો ભાજપ અને આપ વચ્ચે રહેશે. 


કોંગ્રેસ ખતમ થઈ રહી છે - અરવિંદ કેજરીવાલ 

અરવિંદ કેજરીવાલે પોતાના નિવેદનમાં કહ્યું કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ કોંગ્રેસ ખતમ થઈ રહી છે. 27 વર્ષના કુશાસનથી લોકો ત્રસ્ત છે, એ લોકો આમ આદમી પાર્ટીને વોટ કરશે. આ વખતે મુકાબકો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે થવાનો છે. 

Image

અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાતના પ્રવાસે 

ગુજરાતમાં ત્રણ પક્ષો વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તો ટક્કર થતી હતી પરંતુ આ વખતે ત્રીજા પક્ષની ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી થઈ છે. આમ આદમી પાર્ટી પોતાના પ્રચાર પર વધારે ધ્યાન આપી રહી છે. આપનો પ્રચાર દિલ્હીના મુખ્યમંત્રી તેમજ પંજાબના મુખ્યમંત્રી આવી રહ્યા છે. બંને રાજ્યોના મુખ્યમંત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. રોડ-શો કરી આપનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે અરવિંદ કેજરીવાલે કોંગ્રેસને લઈ નિવેદન આપ્યું છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.