મને રાજનીતિ નથી આવડતી પણ લોકોના કામ કરતા આવડે છે: કેજરીવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 16:09:54

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક પ્રહારો તીવ્ર બન્યા છે. આમ તો આ વખતની વિધાનસભાની ચૂંટણી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખિયો ચૂંટણી જંગ મનાય છે. જો કે શાસક પક્ષ ભાજપને સૌથી મોટો પડકાર તો આપ તરફથી જ મળી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, મને બીજેપી પર દયા આવે છે. તેના જેવી નિકકમી પાર્ટી મે ક્યારેય જોઈ નથી. તેમણે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી ગુજરાત આવે ત્યારે મોદીના નારા નથી લાગતા હું ગુજરાત આવું ત્યારે બંને લોકો મારી વિરુધ નારા લગાવે છે.


ભાજપે મારા પર 169 કેસ કર્યાં: કેજરીવાલ


અત્યાર સુધી ભાજપે મારા પર 169 કેસ કર્યાં છે. પરંતુ મને કોઈ ફરક પડતો નથી. કારણ કે મને રાજનીતિ નથી આવડતી મને લોકોના કામ કરતા આવડે છે. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, પંજાબમાં ભગવંત માન ખૂબ સારું કામ કરી રહ્યા છે. ભગવંત માનને પ્લેનમાંથી ઉતારી દેવાની વાત બિલકુલ ખોટી હોવાનું કેજરીવાલે જણાવ્યું હતું.


વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા. જો કે વડોદરા એરપોર્ટ પર કેજરીવાલ પહોંચતા જ લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. જેથી આમ આદમી પાર્ટીના સમર્થકો અને મોદી સમર્થકો આમને સામને આવી ગયા હતા.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.