મને રાજનીતિ નથી આવડતી પણ લોકોના કામ કરતા આવડે છે: કેજરીવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 16:09:54

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક પ્રહારો તીવ્ર બન્યા છે. આમ તો આ વખતની વિધાનસભાની ચૂંટણી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખિયો ચૂંટણી જંગ મનાય છે. જો કે શાસક પક્ષ ભાજપને સૌથી મોટો પડકાર તો આપ તરફથી જ મળી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, મને બીજેપી પર દયા આવે છે. તેના જેવી નિકકમી પાર્ટી મે ક્યારેય જોઈ નથી. તેમણે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી ગુજરાત આવે ત્યારે મોદીના નારા નથી લાગતા હું ગુજરાત આવું ત્યારે બંને લોકો મારી વિરુધ નારા લગાવે છે.


ભાજપે મારા પર 169 કેસ કર્યાં: કેજરીવાલ


અત્યાર સુધી ભાજપે મારા પર 169 કેસ કર્યાં છે. પરંતુ મને કોઈ ફરક પડતો નથી. કારણ કે મને રાજનીતિ નથી આવડતી મને લોકોના કામ કરતા આવડે છે. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, પંજાબમાં ભગવંત માન ખૂબ સારું કામ કરી રહ્યા છે. ભગવંત માનને પ્લેનમાંથી ઉતારી દેવાની વાત બિલકુલ ખોટી હોવાનું કેજરીવાલે જણાવ્યું હતું.


વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા. જો કે વડોદરા એરપોર્ટ પર કેજરીવાલ પહોંચતા જ લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. જેથી આમ આદમી પાર્ટીના સમર્થકો અને મોદી સમર્થકો આમને સામને આવી ગયા હતા.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.