ચૂંટણીની તારીખને લઈ કેજરીવાલે આપ્યું નિવેદન, કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2022-11-01 14:56:35

મોરબીમાં બનેલી ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે. નદી પર બનેલો બ્રિજ અચાનક તૂટી પડતાં બ્રિજ પર ઉભેલા લોકો નદીમાં તણાઈ ગયા હતા. અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા છે. ત્યારે આ ઘટનાને લઈ રાજકીય પાર્ટીઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. આ બધા વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોરબીમાં થયેલી ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું સાથે સાથે ગુજરાત સરકારે રાજીનામું આપી તાત્કાલિક ચૂંટણી જાહેર કરી દેવામાં આવે તેવું નિવેદન આપ્યું છે.

ગુજરાત સરકાર તાત્કાલિક રાજીનામું આપે - અરવિંદ કેજરીવાલ 

મોરબીની દુર્ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરુ છું. ઈજાગ્રસ્ત લોકો જલ્દી સાજા થાય તેવી પણ પ્રાર્થના કરૂ છું. તેવામાં આ પુલ ધરાશાયી થયો એની વાત કરીએ તો સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર થયો હોવા તરફના સંકેત મળી રહ્યા છે. વળી આ દુર્ઘટનામાં રિપોટ આધારે 150થી વધુ લોકોના મોત થયા છે. તેવામાં હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ નૈતિકતાના ધોરણે ફરજ પર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકારે રાજીનામું આપી તાત્કાલિક ચૂંટણી જાહેર કરી દેવી જોઈએ.

Image

બ્રિજનું કામ કરનાર કંપની પર કેજરીવાલે કર્યા પ્રહાર

કેજરીવાલે આ બ્રિજનું સમારકામ કરનાર કંપનીના માલિક પર પણ નિશાન સાધ્યું છે જેમાં તેમણે કહ્યું કે આ કંપની પાસે બ્રિજ કેવી રીતે બનાવાનો અથવા મેઈનટેનન્સ કરવું એનો અનુભવ જ ન હતો, પછી આ જવાબદારી કેમ સોંપવામાં આવીએ મોટો પ્રશ્ન છે. તેવામાં કંપનીના માલિકને પાર્ટી અથવા કોઈ નેતા સાથે અંગત સારા સંબંધો હોઈ શકે છે. આના કારણે તેમને કોન્ટ્રાક્ટ મળ્યો હોઈ શકે છે.              




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.