ચૂંટણી પહેલા કેજરીવાલે કર્યો દાવો, કહ્યું ઈસુદાન, અલ્પેશ અને ગોપાલ મોટા માર્જિનથી જીતશે


  • Published By :
  • Published Date : 2022-11-28 13:15:29

ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આ વખતે ત્રણ પાર્ટી વચ્ચે જંગ જામવાનો છે. ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરવા આમ આદમી પાર્ટી પ્રયાસ કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આપનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આપના ત્રણ ઉમેદવારો ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથિરિયા માટે અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે આ ત્રણ ઉમેદવાર મોટા માર્જિનથી જીતવાના છે.

 

અરવિંદ કેજરીવાલે લખીને આપ્યું  

ગુજરાતમાં 2 તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરે યોજાવાનું છે જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી તારીખે થવાનું છે. જ્યારે આઠમી ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવવાનું છે. ત્યારે ગુજરાતમાં સરકાર બનાવવા દરેક પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે. આમ આદમી પાર્ટી પણ ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે અરવિંદ કેજરીવાલે ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથિરિયાને લઈ દાવો કર્યો છે જેમાં તેમણે કહ્યું કે આ ત્રણેય ઉમેદવાર મોટા માર્જિનથી જીતવાના છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.