કેજરીવાલએ સ્વીકાર્યું કે ચૂંટણી લડવા પૈસાજ નથી !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-08 19:51:28


ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા તમામ પક્ષો દિવસ રાત ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે  આ દરમિયાન ગુજરાતના પ્રવાસે અરવિંદ કેજરીવાલ છે. આમ આદમી પાર્ટી  તીરંગા યાત્રા, ડોર ટુ ડોર રજીસ્ટ્રેશન કેમ્પેન, પદયાત્રા અને રોડ શો જેવા કાર્યક્રમોનું આયોજન કરીને જનતાની વચ્ચે જઈ રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જૂનાગઢ, કેશોદ અને માંગરોળમાં આયોજિત રોડ શોમાં ભાગ લીધો હતો. જેમાં કેજરીવાલે ચૂંટણી ફંડ અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, અમારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી


"ચૂંટણી લડવા પૈસાજ નથી"


અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે ગુજરાતના પ્રવાસ દરમિયાન તેમણે કહ્યું કે, અમારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી. હું 7 વર્ષથી દિલ્હીનો મુખ્યમંત્રી છું પરંતુ એક પણ પૈસો હું નથી કમાયો. એટલા માટે મને તમારો સહકાર જોઈએ છે. આજ સુધી તમે કોઈ મુખ્યમંત્રીને આ રીતે રસ્તા પર પરસેવો પાડતા નહીં જોયા હોય.


ગુજરાતની જનતાને કરી અપીલ 


અરવિંદ કેજરીવાલએ ગુજરાતની જનતાને અપીલ કરતાં કહ્યું હું ગુજરાતની ગલી-ગલી, રોડ-રસ્તા પર જઈ રહ્યો છું અને લોકોને મળી રહ્યો છું. તમારે બધાએ એક કામ કરવાનું છે, મારા ગયા પછી તમારું વોટ્સએપ ઓપન કરજો અને જેટલા પણ લોકો તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં હોય એમને એક મેસેજ કરજો કે, હું આ વખતે આમ આદમી પાર્ટીને વોટ આપવાનો છું અને તમે બધા પણ મારી સાથે એક મોકો આમ આદમી પાર્ટીને આપો.હું ઈચ્છું છું કે તમે અમારા ઉમેદવારોને સૌથી વઘારે માર્જિનથી જીતાડો. EVM મશીન પર ઝાડુનું જે બટન હોય એ એટલી વાર દબાવજો કે બટન ખરાબ થઈ જાય. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.