પ્રધાનમંત્રીના વચન અને આંખોની તો લાજ રાખો સત્તાધીશો... 100 ટકા નળ સે જળ યોજના પૂર્ણ થયા હોવાના દાવા વચ્ચે પાણી માટે વલખા મારતી પ્રજા


  • Published By :
  • Published Date : 2023-04-12 14:23:33

રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં નળથી જળ પહોંચે તે માટે સરકાર દ્વારા હજારો કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા છે. સરકારી ચોપડે આ કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ વાસ્તવિક્તા કંઈક અલગ છે. અનેક ગામો એવા છે જ્યાં નળ તો પહોંચ્યો છે પરંતુ સરકારી અધિકારીઓ પાઈપ લગાવવાનું ભૂલી ગયા છે. એવા અનેક દ્રશ્યો જમાવટના કેમેરામાં કેદ થયા છે જે સરકાર દ્વારા કરવામાં આવેલા દાવાને ખોટા સાબિત કરે છે.  


ગુજરાત સરકાર દાવો કરે છે કે નળથી જળ યોજના 100 ટકા પૂર્ણ  

લોકોને પાણી મળે તે માટે સરકાર દ્વારા જળ જીવન મિશનની શરૂઆત કરવામાં આવી હતી. ઘરમાં લોકોને પાણી મળે તે માટે આ યોજના સરકાર દ્વારા બનાવવામાં આવી હતી. ઓક્ટોબર 2022માં ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આ યોજના 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે. એનો મતલબ એ થાય કે દરેક ઘરમાં નળથી પાણી પહોંચી રહ્યું છે.  




15 ઓગષ્ટ 2019એ પીએમ મોદીએ લાલકિલ્લા પરથી કરી હતી જાહેરાત  

જળ જીવન મિશન અંતર્ગત પાણી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. 100 ટકા નળ કનેક્શનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારને 100 ટકા નળ કનેક્શનની કામગીરી પૂર્ણ કરી દીધી છે. જેનો મતલબ એ થાય કે ગુજરાત 100 ટકા નળ જોડાણની સિદ્ધી પ્રાપ્ત કરનાર રાજ્ય બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગષ્ટ 2019ના રોજ લાલકિલ્લા પરથી જળ જીવન મિશનની ઘોષણા કરી હતી. જાહેરાત કરતા તેમણે કહ્યું હતુંકે આ મિશનનો ઉદ્દેશ્ય 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ ઘરોમાં 100 ટકા નળ જોડાણ દ્વારા પાણી પૂરૂં પાડી દરેક ગ્રામીણ ઘરને નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયત ગુણવત્તાનો પીવાના પાણીનો પુરવઠો લાંબા ગાળા સુધી ઉપલબ્ધ કરાવવાનો છે. 

જો સાચે યોજના લોકો સુધી પહોંચી છે તો કેમ લોકોને પાણી માટે મારવા પડે છે વલખા? 

હાલ રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત થતાં જ અનેક જગ્યાઓ પર પાણીની સમસ્યા ઉભી થઈ રહી છે. ત્યારે વલસાડની શિક્ષણ સમિતિ દ્વારા લખવામાં આવેલો એક પત્ર ચર્ચામાં આવ્યો છે. આ પત્રનો વિષય છે વધુ ગરમી અને પાણીની સમસ્યાને કારણે સરકારી પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવો. જે પત્ર સામે આવ્યો છે તે ધરમપૂરનો છે. ધરમપૂરમાં સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન આવેલું છે. આ પત્રમાં પાણીની સમસ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે પ્રશ્ન એ થાય કે જો ગામડાના દરેક ઘરમાં નળ દ્વારા પાણી પહોંચી ગયું છે કે તો કેમ લોકોને પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે.


પીએમ મોદી દ્વારા કહેવાયેલા શબ્દોની તો લાજ રાખો સરકાર  

100 ટકા યોજના લોકો સુધી પહોંચી ગઈ છે તે દાવો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ દાવો ખરેખર સાચો છે? જો આ અંગે પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબ હશે 'ના'. હજી પણ એવા અનેક ગામો છે જ્યાં વસ્તી વધારે હોય છે પરંતુ સમગ્ર વસ્તી વચ્ચે માત્ર એક જ હેન્ડ પમ્પ જોવા મળે છે. પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. ત્યારે હમણાં તો ઉનાળાની સિઝન છે. ઉનાળાની સિઝન દરમિયાન પાણીનો વપરાશ એમ પણ વધતો હોય છે. ત્યારે કહેવાનું મન થાય કે લોકોને પડતી તકલીફો, લોકોની સરકાર પાસેથી રાખવામાં આવેલી અપેક્ષાઓ ભલે સરકારી અધિકારીને ન દેખાતી હોય પરંતુ નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવેલી વાતોની તો લાજ રાખો...               




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!