ઘરેથી નીકળતી વખતે સાથે રાખજો રેઈનકોટ, જાણો કયા જિલ્લાઓ માટે હવામાન વિભાગે કરી છે ધોધમાર વરસાદની આગાહી?


  • Published By :
  • Published Date : 2023-06-28 10:06:27

રાજ્યમાં હવે ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે. પહેલા વરસાદ વરસતો હતો પરંતુ તે કમોસમી વરસાદ હતો અથવા તો વાવાઝોડાને કારણે થતો વરસાદ હતો. ત્યારે હવે ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. વરસાદની ધમાકેદાર બેટિંગ ગુજરાતના અનેક જિલ્લાઓમાં તેમજ તાલુકાઓમાં જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ પર તો પાણી ભરાઈ જાય તેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 13.45 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. મંગળવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી હતી. 


આજે આ જગ્યાઓ પર વરસી શકે છે ધોધમાર વરસાદ

વરસાદને લઈ હવામાન વિભાગએ આગાહી કરી છે તે મુજબ આજે એટલે કે 28 તારીખે વલસાડ, દાદરા નગર હવેલીમાં તેમજ કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત તેમજ વલસાડમાં ધોધમાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તે ઉપરાંત સુરત, ભરૂચ, ડાંગ તેમજ તાપીમાં પણ મેઘમહેર જોવા મળી શકે છે. અમદાવાદ માટે પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આગામી પાંચ દિવસ દરમિયાન ધોધમાર વરસાદ વરસી શકે છે. 


મંગળવારે અનેક જિલ્લાઓમાં જોવા મળી હતી મેઘમહેર 

જો મંગળવારે ખાબકેલા વરસાદની વાત કરીએ તો અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. સાંજના સમયે અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત બપોર સુધીમાં ભાવનગર જિલ્લામાં 60 મીમીથી વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે વલ્લભીપુરમાં 50 મીમી, સુરેન્દ્રનગરમાં 22 મીમી અને અમદાવાદમાં 20 મીમી વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 5 ઈંચથી વધુ નોંધાયો છે. જ્યારે 48 કલાકની વાત કરીએ તો ઉમરગામમાં 11 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. 24 કલાકમાં 20 તાલુકામાં 2 ઈંચથી સાડાચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.   


જુલાઈ મહિના માટે અંબાલાલ પટેલે કરી આ આગાહી     

જુલાઈ મહિનામાં વરસાદી સિઝન કેવી રહેશે તે અંગેની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જૂન બાદ જુલાઈ મહિનામાં વરસાદનો મિજાજ કેવો રહેશે તે અંગે પણ આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, જૂન મહિનાના અંતમાં વરસાદ થઇ રહ્યો છે અને જુલાઈના પહેલા સપ્તાહમાં પણ વરસાદ રહેવાનું અનુમાન છે. જુલાઈ મહિનાની 8 જુલાઈ સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે 18-19 જુલાઈએ પણ વરસાદની શક્યતા રહેશે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!