કેદારનાથ ધામની યાત્રા 3 મે સુધી મુલતવી, ભારે હિમવર્ષાના કારણે લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-05-01 19:26:45

હવામાન બદલાતી પેટર્ન અને શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યવસ્થાના અભાવને કારણે રાજ્ય સરકારે કેદારનાથ યાત્રા 3 મે સુધી રોકી દીધી છે. આ સાથે જ, ઋષિકેશ રજીસ્ટ્રેશન કાઉન્ટર પર કેદારનાથ માટે રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી મુસાફરોની ભીડને નિયંત્રિત કરી શકાય. આજે સોમવારે પણ કેદારનાથમાં ભારે હિમવર્ષા થઈ હતી.


3 મે પછી નવી તારીખ જાહેર


એડિશનલ કમિશનર ગઢવાલ એડમિનિસ્ટ્રેશન, નરેન્દ્ર સિંહ કુરિયાલે કહ્યું કે બાબા કેદારનાથ પ્રત્યે આસ્થાને લઈને મોટી સંખ્યામાં ભક્તો કેદારનાથ ધામ પહોંચી રહ્યા છે. ધામમાં યાત્રિકો માટે યોગ્ય વ્યવસ્થાના અભાવે અને ખરાબ હવામાનના કારણે તેમને રોકાવાની વ્યવસ્થા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને, ભારે વરસાદ અને હિમવર્ષાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, પર્યટન વિભાગે કેદારનાથ યાત્રા માટે 3 મે સુધી નોંધણી મુલતવી રાખી છે. પર્યટન વિભાગ 3 મે પછી બાબા કેદારનાથની યાત્રાની તારીખ નક્કી કરશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.