કેદારનાથ ધામ આવ્યું ચર્ચામાં! મંદિરના ગર્ભગૃહમાં લાગેલું સોનુ છે કે પિત્તળ? જાણો સમગ્ર મામલો અને આ મામલે ટ્રસ્ટે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-06-17 19:00:18

કેદારનાથ ધામનું નામ સાંભળીએ ત્યારે આપણી આંખમાં અલગ જ ચમક આવી જતી હોય છે. ચારધામની યાત્રાઓમાંનું આ મહત્વનું સ્થાન છે. ત્યારે કેદારનાથ ધામ ચર્ચામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા જ કેદારનાથ મંદિરની બહાર સંતોષ ત્રિવેદીએ વીડિયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, સાંભળીએ સૌથી પહેલા એ વીડિયો જેમાં સંતોષ ત્રિવેદી આરોપ લગાવી રહ્યાં છે. 


સવા અરબનું સોનું ગાયબ થઈ ગયું!

હવે આ બાદ કેદારનાથ મંદિર ટ્વિટર પર ટ્રેન્ડ થઈ કરી રહ્યું છે, અને ચારેય તરફ ચર્ચાઓ થઈ રહી છે કે શું ખરેખર કેદારનાથના મંદિરના ગર્ભગૃહમાંથી સવા અરબનું સોનું ગાયબ થઈ ગયું છે? હવે આની સામે બદ્રિ-કેદાર મંદિર સમિતિએ એક પ્રેસનોટ બહાર પાડી છે અને એમનું કહેવું છે કે આ વાત માત્ર લોકોને ભ્રમિત કરવા માટે અને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે કહેવામાં આવી રહી છે. 


મંદિર સમિતિએ આ વાતને પાયાવિહોણી ગણાવી!

બદ્રિ-કેદાર મંદિર સમિતિએ કહ્યું છે કે કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં કુલ 23,777.800 ગ્રામ સોનું લગાડવામાં આવ્યું છે. જેની વર્તમાન બજાર કિંમત લગભગ 14.38 કરોડ રુપિયા છે, અને આ ઉપરાંત સોનાના કામ માટે વપરાયેલી તાંબાની પ્લેટોનું કુલ વજન 1001.300 કિલોગ્રામ  છે, જેની કુલ કિમંત માત્ર 29 લાખ રુપિયા છે. તેથી જે આરોપો લાગ્યા છે કે મંદિરના ગર્ભગૃહમાંથી એક અરબ પંદર કરોડ એટલે કે સવા અરબ કરોડનું જે સોનું ગાયબ થઈ ગયું છે એ બધી વાતો પાયાવિહોણી છે. હવે આમા કોનું ગણિત સાચું અને અને કોનું ગણિત ખોટું એ તો સમય જ બતાવશે. 

 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.