KCGના ફિનિશિંગ સ્કૂલ પ્રોજેક્ટમાં ચાલી રહ્યો છે મોટો ભ્રષ્ટાચાર, જાણો કઈ રીતે


  • Published By :
  • Published Date : 2023-03-18 18:03:34

KCG એટલે કે નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ ચાલતી સંસ્થા છે. આ સંસ્થાનો હેતું વિદ્યાર્થીઓ માટે ભવિષ્યના પ્રવેશ દ્વાર ખોલવાનો છે જેના દ્વારા વિદ્યાર્થીઓ જ્ઞાનના સુમેળ દ્વારા વિશ્વ સાથે સંબંધો સ્થાપિત કરી શકે. આ KCG હેઠળ 2016-17માં તત્કાલિન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કાર્યકાળમાં ફિનિશિંગ સ્કૂલ નામનો એક પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જો કે આ સરસ પ્રોજેક્ટમાં પણ ગેરરીતીઓ થતી હોવાનું બહાર આવ્યું છે.


ફિનિશિંગ સ્કૂલ પ્રોજેક્ટ શું છે? 


આ પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓને વિવિધ સોફ્ટ સ્કિલ માટે તૈયાર કરવા માટે 80 કલાકનો એક કોર્ષ શરૂ કરવામાં આવે છે. જે મુજબ વિદ્યાર્થીઓને એક દિવસમાં ચાર કલાક ભણાવવામાં આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓને કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરી શકે તે માટે તૈયાર કરવામાં આવે  છે. વિદ્યાર્થીઓને તેમનો રિઝ્યુમ બનાવવા ઉપરાંત તેમને અંગ્રેજી ભાષા સારી રીતે બોલી શકે તે પ્રકારની સોફ્ટ સ્કિલ શિખવાડવામાં આવે છે. સરકારે આ પ્રોજેકટ માટે કોલેજ દીઠ 1,22000 હજારનો ખર્ચ કરે છે. જેમાં ટ્રેનરને પ્રતિ કલાક 1 હજારનું મહેનતાણું ચૂકવવામાં આવતું હતું.  તે ઉપરાંત તેમને ટ્રાવેલ ખર્ચ અને રહેવાનો પેટે પણ એક હજારનું એલાઉન્સ મળતું હતું. આ ટ્રેનર એક કોલેજમાં 4 કલાક સુધી વિદ્યાર્થીઓને ભણાવતા હતા. આ પ્રોજેક્ટ હેઠળ સરસ કામગીરી થતી હતી પણ પછી સરકારે આ પ્રોજેક્ટ પ્રાઈવેટ એજન્સીઓને આપી દીધો.


ફિનિશિંગ સ્કૂલ પ્રોજેક્ટ પ્રાઈવેટ હાથોમાં


સરકાર બદલાતા નવા  પ્રોજેક્ટ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના કાર્યકાળમાં આ પ્રોજેક્ટ પ્રાઈવેટ એજન્સીઓને આપવામાં આવ્યો. આ બે એજન્સીઓના નામ એચ. કુમાર અને પ્રક્ષાલ છે. આ બંને એજન્સીઓને પ્રોજેક્ટ હેઠળ 2,55,000 ચૂકવવામાં આવે છે. આ બંને એજન્સીઓ ટ્રેનરને પ્રતિ દિન 1500 રૂપિયા મહેનનાણું ચૂકવે છે. આ રીતે એક ટ્રેનર પાછળ એજન્સીઓને 20 દિવસ પેટે 30 હજારનો ખર્ચ થાય છે. હવે સૌથી ચોંકવનારી બાબત એ છે કે એજન્સીઓને સીધો 2 લાખથી વધુનો ફાયદો આ થાય છે. કારણ કે અગાઉની તુલનામાં ટ્રેનરને ઓછું મહેનતાણુ ચૂકવવામાં આવે છે. આ રીતે આ બંને એજન્સીઓ ટ્રેનરોનું શોષણ કરે છે.


પ્રોજેક્ટ હેઠળ શું ગોટાળો ચાલી રહ્યો છે?


ફિનિશિંગ સ્કૂલ પ્રોજેક્ટ હેઠળ સરકાર એચ કુમારે 80 કોલેજમાં જ્યારે પ્રક્ષાલે 77 કોલેજોમાં  ટ્રેનિંગ આપી છે. ગુજરાત સરકારે એચ કુમારને 5 કરોડ જ્યારે પ્રક્ષાલને 2 કરોડ રૂપિયા વર્ક ઓર્ડર પેટે ચૂકવ્યા છે. જો કે જમાવટે જ્યારે આ ટ્રેનરો સાથે વાત કરી ત્યારે ખરો ગોટાળો બહાર આવ્યો હતો. આ બંને એજન્સીઓ ટ્રેનરોનું શોષણ કરે છે. ઘણા ટ્રેનરોને તો માત્ર 500 રૂપિયા જેટલું જ મહેનાણું ચૂકવવામાં આવે છે. ઘણા ટ્રેનરો તો કોલેજોમાં ભણાવવા પણ જતા નથી અને માત્ર ચોપડા પર જ વિદ્યાર્થીઓની ટ્રેનિંગ થઈ જાય છે. 


વિદ્યાર્થીઓને થઈ રહ્યું છે નુકસાન


જમાવટે મીડિયાએ જ્યારે આ પ્રોજેક્ટમાં ચાલતી ગેરરિતીઓ અંગે સંબંધિત લોકો સાથે વાત કરી ત્યારે ખબર પડી કે કે ભયાનક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. સરકારના હાથમાં જ્યારે આ પ્રોજેક્ટ હતો તે સમયે કુશળ ટ્રેનરો વિદ્યાર્થીને ટ્રેન કરતા હતા. હવે આ બંને એજન્સીઓના ટ્રેનરો સમયસર કોલેજોની મુલાકાત પણ લેતા નથી. બિન કાર્યક્ષમ ટ્રેનરો ના કારણે વિદ્યાર્થીઓને બરાબર તાલિમ પણ મળતી નથી. વળી વિદ્યાર્થીઓને પુરતું શિક્ષણ સાહિત્ય પણ આપવામાં આવતું નથી. શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને એજન્સીઓ વચ્ચેની સાઠગાંઠથી આ વ્યાપક ભ્રષ્ટાચાર  ચાલી રહ્યો છે. સરકાર વિદ્યાર્થીઓ પાછળ લખલૂંટ ખર્ચ કરે છે પણ અંતે વિદ્યાર્થીનો કોઈ જ લાભ ન થતો હોય તો આ પ્રોજેક્ટનો શું મતલબ? 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!