કવિરાજ પણ ચૂંટણી લડવાના મૂડમાં,ભાજપના ગઢમાંથી લડશે ચૂંટણી ?


  • Published By :
  • Published Date : 2022-11-07 12:50:48

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે અને હવે ગીત કલાકારો પણ એક બાદ એક રાજકીય પક્ષોમાં જોડાઈ રહ્યા છે.હવે આજે એવા સમાચારો પણ મળી રહ્યા છે કે રાજ્યના જાણીતા લોકગાયક જીગ્નેશ કવિરાજ પણ ચૂંટણી લડી શકે છે મહેસાણાની ખેરાલુ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે જીગ્નેશ કવિરાજ


અપક્ષ તરીકે નોંધાવશે ઉમેદવારી 

મૂળ ખેરાલુના જ જીગ્નેશ કવિરાજ ખેરાલુ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે છે. જીગ્નેશ કવિરાજ હાલ તો કોઇ પણ પક્ષ સાથે જોડાયેલા નથી અને તેઓ અપક્ષ તરીકે મહેસાણાની ખેરાલું વિધાનસભા ચૂંટણી લડી શકે છે. ખેરાલુ બેઠક પર અપક્ષ તરીકે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો સામે તેઓ ટક્કર આપશે. લોકગાયક તરીકે તેમની લોકચાહનાને તેઓ મતમાં કેવી રીતે રુપાંતરીત કરી શકે છે તે હવે જોવાનું રહે છે.


ભાજપનો ગઢ રહી છે ખેરાલુ બેઠક

ખેરાલુ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. છેલ્લી ચાર ટર્મથી ભારતીય જનતા પાર્ટીનો આ બેઠક પર વિજય થયો છે. 2002માં રમીલાબેન દેસાઇ આ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટાઇ આવ્યા હતા. તે પછી ત્રણ ટર્મ (2002,2012, 2017)માં ભરતસિંહ ડાભી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટાઇ આવ્યા હતા. ભરતસિંહ ડાભી 2019ની લોકસભા ચૂંટણીમાં પાટણ બેઠક પર સાંસદ બનતા આ બેઠક ખાલી થઇ હતી અને પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં 2019માં પેટા ચૂંટણીમાં અજમલજી ઠાકોરનો વિજય થયો હતો.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.