કાશ્મીર: પત્રકારોને ધમકી આપવાના મામલામાં કાર્યવાહી, શ્રીનગર અને અનંતનાગ સહિત 10 સ્થળોએ દરોડા


  • Published By :
  • Published Date : 2022-11-19 12:28:08

જમ્મુ અને કાશ્મીરમાં પોલીસે તાજેતરમાં પત્રકારોને આપવામાં આવેલી ધમકી સંબંધિત કેસની તપાસના સંદર્ભમાં શ્રીનગર, અનંતનાગ અને કુલગામમાં 10 સ્થળોએ મોટાપાયે સર્ચ શરૂ કર્યું હતું. કાશ્મીર ઝોન પોલીસે આ જાણકારી આપી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

Jammu and Kashmir: Terrorists Attack 2 CRPF Camps In Shopian And Pulwama

આતંકી સંગઠને હિટ લિસ્ટ જાહેર કર્યું હતું

મંગળવારે આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા કાશ્મીરના પત્રકારોનું હિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેઓને પરિણામની ચેતવણી આપવામાં આવી હતી. રાષ્ટ્રીય પત્રકારત્વ દિવસની પૂર્વ સંધ્યાએ મોકલવામાં આવેલી ચેતવણીને મીડિયા સંસ્થાઓએ પ્રેસ પર હુમલો અને કાળો દિવસ ગણાવ્યો હતો. સોશિયલ મીડિયા પર પત્રકારોના નામની આગળ, તેમને શા માટે ધમકી આપવામાં આવી હતી તે સમજાવવામાં આવ્યું હતું. કહેવાય છે કે આતંકવાદીઓના ખતરાથી ડરીને કેટલાક પત્રકારોએ ફેસબુક પર પોતાના રાજીનામા આપી દીધા છે અને કેટલાક જમ્મુ ચાલ્યા ગયા છે.


TRFની ધમકી બાદ પત્રકારોની સુરક્ષા વધી

આતંકવાદી સંગઠન દ્વારા ઘાટીના પત્રકારોને ધમકી આપ્યા બાદ પોલીસે મામલાની તપાસ તેજ કરી છે. આ સાથે જ પત્રકારોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. TRF સાથે સંકળાયેલા 12 લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ બધા પાછળ પાકિસ્તાનમાં બેઠેલા TRF કમાન્ડર સજ્જાદ ગુલનું નામ સામે આવી રહ્યું છે. આ માટે આજે વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.