આવા મંત્રી બધાને મળે:કર્ણાટકના મંત્રીએ કર્મચારીઓને આપી એવી દિવાળી ભેટ કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા


  • Published By :
  • Published Date : 2022-10-25 13:45:28

આ મંત્રીએ પોતાના વિસ્તારમાં નગરપાલિકા અને પંચાયતના સભ્યોને મોંઘી ગિફ્ટ આપી છે.
કર્ણાટકના મંત્રીની દિવાળી ગિફ્ટ પર હવે વિવાદ થયો છે.
હવે આ ગિફ્ટ બોક્સ અને તેમાં આપવામાં આવેલી ચીજવસ્તુઓ સોશિયલ મીડિયા પર વાયરલ છે.

 Karnataka Tourism Minister Anand Singh. (News18)

કર્ણાટકના પર્યટન મંત્રી આનંદ સિંહે લોકોમાં 2 બોક્સની વહેંચણી કરી હતી. એક નગરપાલિકાના સભ્યો માટે અને બીજું ગામ પંચાયતના સભ્યો માટે. નગરપાલિકાના સભ્યો માટેની ગિફ્ટમાં કથિતરીતે રૂપિયા 1 લાખ રોકડા, 144 ગ્રામ સોનુ, ચાંદી, એક રેશમની સાડી, એક ધોતી અને સૂકા મેવાનો એક ડબ્બો હતો. જ્યારે ગામ પંચાયતના સભ્યો માટેની ગિફ્ટમાં થોડી ઓછી રોકડ અને અન્ય સામાન હતો.

q6

દિવાળીના તહેવાર પર લોકો એકબીજાને ગિફ્ટ આપે છે ત્યારે કર્ણાટક સરકાર (Karnataka Minister)ના એક મંત્રીએ મોંઘી દિવાળી ગિફ્ટ આપતા વિવાદ થયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ મંત્રીએ પોતાના વિસ્તારમાં નગરપાલિકા અને પંચાયતના સભ્યોને મોંઘી ગિફ્ટ આપી છે. કર્ણાટકના મંત્રીની દિવાળી ગિફ્ટ પર હવે વિવાદ થયો છે. હવે આ ગિફ્ટ બોક્સ અને તેમાં આપવામાં આવેલી ચીજવસ્તુઓ સોશિયલ મીડિયા પર વાયરલ છે. રિપોર્ટ્સ મુજબ, આ મંત્રીએ નગરપાલિકાના સભ્યો અને ગામ પંચાયતના સભ્યોમાં બે અલગ અલગ પ્રકારના ગિફ્ટ બોક્સની વહેંચણી કરી.


કર્ણાટકના પર્યટન મંત્રી આનંદ સિંહે લોકોમાં 2 બોક્સની વહેંચણી કરી હતી. એક નગરપાલિકાના સભ્યો માટે અને બીજું ગામ પંચાયતના સભ્યો માટે. નગરપાલિકાના સભ્યો માટેની ગિફ્ટમાં કથિતરીતે રૂપિયા 1 લાખ રોકડા, 144 ગ્રામ સોનુ, ચાંદી, એક રેશમની સાડી, એક ધોતી અને સૂકા મેવાનો એક ડબ્બો હતો. જ્યારે ગામ પંચાયતના સભ્યો માટેની ગિફ્ટમાં થોડી ઓછી રોકડ અને અન્ય સામાન હતો. જ્યારે મંત્રીના એક સહયોગીએ જણાવ્યું કે તેઓ દરવર્ષે આ પ્રકારે ગિફ્ટ બોક્સ આપે છે.



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે