કર્ણાટક અને મહારાષ્ટ્રનો સરહદ વિવાદ વધુ ઉગ્ર બન્યો, બંને રાજ્યોના CM સાથેની અમિત શાહની બેઠક નિષ્ફળ


  • Published By :
  • Published Date : 2022-12-15 19:15:05

દેશમાં આસામ અને મિઝોરમ વચ્ચેનો વિવાદ હજુ  સળગી જ રહ્યો છે ત્યાં બે ભાજપ શાસિત રાજ્યો કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદનો વિવાદ આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી સમાધાન લાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કોઈ પરિણામ આવી શક્યું નથી પરંતું બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ વિવાદ અંગેના તેમના દાવા પર સુપ્રીમ કોર્ટમાંથી કોઈ ચુકાદો ન આવે ત્યાં સુધી વિવાદાસ્પદ નિવેદનો નહીં આપવા પર સંમત થઈ ગયા હતા.


મહારાષ્ટ્ર સરકારે ફટકારી નોટિસ


અમિત શાહે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મિટિંગ કરી તે પહેલા જ કર્ણાટકમાં વિલયના પ્રસ્તાવ પાસ કરનારી 11માંથી 10 ગ્રામ પંયાયતોને તેમનો પ્રસ્તાવ રદ્દ કર્યો હતો. મહારાષ્ટ્ર સરકાર દ્વારા સોલાપુર જિલ્લાના અક્કલકોટની 11 ગ્રામ પંચાયતોને કારણ દર્શક નોટિસ ફટકારી છે. નોટિસમાંએ પૂછવામાં આવ્યો છે કે તે જણાવો કે તેમણે કર્ણાટકમાં વિલયનો પ્રસ્તાવ શા માટે પાસ કર્યો હતો. જો કે 11માંથી 10 ગામોએ રાજ્ય સરકારને જણાવ્યું કે તેમણે પ્રસ્તાવ રદ્દ કર્યો છે અને તે મહારાષ્ટ્ર સાથે જ રહેવા માગે છે.  


કન્નડ રક્ષક વેદિકાએ કર્યું પ્રદર્શન


બંને રાજ્યો વચ્ચેનો વિવાદ એ હદે વકર્યો છે કે કેટલાક દિવસો પહેલા મહારાષ્ટ્રથી કર્ણાટક આવી રહેલી ટ્રકોને બેલગાવીમાં રોકી દેવામાં આવી અને તેના પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. કર્ણાટક રક્ષક વૈદિકે નામના સંગઠનના કાર્યકર્તાઓએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. બંને રાજ્યોની સરહદ પર કન્નડ રક્ષક વેદિકાના કાર્યકરોએ મહારાષ્ટ્રથી આવતી ટ્રેનોને નુકસાન પહોંચાડ્યું હતું. બેંગ્લોર હાઈવે પરથી પસાર થતી ટ્રેનોને પણ નુકસાન કર્યું અને બીજા અનેક વાહનો પર પથ્થરમારો પણ કર્યો અને કાચ તોડી નાખ્યા હતા.


મહારાષ્ટ્ર સરકાર પર વિપક્ષોનું દબાણ


મહારાષ્ટ્ર સરકારનો જોરદાર વિરોધ છે તેમ છતા તેના વિસ્તારના ગામો કર્ણાટકમાં જોડાવા માંગે છે, જો કે આ મુદ્દે ઉધ્ધવ ઠાકરે ગ્રુપ ઉપરાંત કોંગ્રેસ અને એનસીપીએ પણ બિજેપી-એકનાથ શિંદે સરકાર વિરૂધ્ધ મોરયો ખોલ્યો છે. આ મુદ્દે 17 ડિસેમ્બરે મુંબઈમાં એક વિશાળ વિરોધ પ્રદર્શન પણ આયોજીત કરવામાં આવ્યું છે.


કર્ણાટકના મુંખ્યમંત્રી દાવોને લઈ મક્કમ


મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભાજપનું શાસન છે પણ કર્ણાટકમાં આગામી થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેથી કર્ણાટકના મુંખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ પણ નમતુ જોખવા તૈયાર નથી.  કેમ કે જો આ મુદ્દે કડક વલણ ન અપનાવે તો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન ભોગવવું પડે તેવી શક્યતા છે.


વિવાદ શા માટે?


મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેનો આ વિવાદ વર્ષ 1957થી શરૂ થયો છે. ભાષાના આધારે બે રાજ્યોની પુનઃરચના થઈ તે પહેલા આ બંને રાજ્યો બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતા. બેલાગવી સહિતના મરાઠી-ભાષી વિસ્તારોને કર્ણાટકમાં સમાવી લેવાથી મહારાષ્ટ્રના લોકો નારાજ હતા. મહારાષ્ટ્ર સરકારે 814 મરાઠી-ભાષી ગામો પર પણ દાવો કર્યો હતો જે હાલમાં કર્ણાટકનો ભાગ છે.


તેલંગાણા અને મહારાષ્ટ્ર વચ્ચે પણ વિવાદ


મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેનો સીમા વિવાદ હજુ શમ્યો નથી અને તે દરમિયાન, તેલંગાણાને અડીને આવેલા રાજ્યના કેટલાક ગામોમાંથી માંગ ઉઠી છે કે તેમને અલગ કરવામાં આવે. તેવી માગ કરવામાં આવી છે. તેલંગાણાને અડીને આવેલા મહારાષ્ટ્રના 14 ગામોના લોકોએ માંગ ઉઠાવી છે કે તેમને તેલંગાણામાં ભેળવી દેવામાં આવે. જે ગામો વતી આ માંગ કરવામાં આવી છે તેમાં મહારાજગુડા, નેકે વાડા જેવા ગામોના નામ સામેલ છે. મહારાષ્ટ્ર કરતા તેલંગાણામાં સારી સુવિધાઓ મળતી હોવાથી આ 14 ગામોના લોકોએ  તેલંગાણા રાજ્ય સાથે જોડાવા માટે તલપાપડ બન્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે