કર્ણાટક:વિધાનસભાના ઉપાધ્યક્ષ આનંદ મામાણીનું નિધન, ગંભીર બીમારીથી પીડિત હતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-23 09:52:11

આનંદ મામાની સૌદત્તી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય હતા. તેઓ ત્રીજી વખત આ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે.

Karnataka Assembly Deputy Speaker Anand Mamani passes away - India Today

કર્ણાટક વિધાનસભાના ઉપાધ્યક્ષ આનંદ મામાનીનું આજે નિધન થયું છે. તેઓ 56 વર્ષના હતા. પરિવારજનોએ જણાવ્યું કે મામાની ગંભીર બીમારીથી પીડિત હતા. તેમને ડાયાબિટીસ અને લિવર ઈન્ફેક્શન હતું. તેમણે રવિવારે ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનની જાણ થતાં જ મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ હોસ્પિટલ પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી.


બોમાઈએ ટ્વીટ કર્યું, “અમારી પાર્ટીના ધારાસભ્ય અને રાજ્ય વિધાનસભાના ઉપાધ્યક્ષ આનંદ ચંદ્રશેખર મામાનીના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. તેમના આત્માને શાંતિ મળે અને ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ.

તમને જણાવી દઈએ કે, મામાની સૌદત્તી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હતા. તેઓ ત્રીજી વખત આ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. આનંદ મામાનીના પિતા ચંદ્રશેખર એમ મામાનીએ પણ 1990ના દાયકામાં ડેપ્યુટી સ્પીકર તરીકે સેવા આપી હતી.


ઓમ બિરલાએ પણ ટ્વિટર પર ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.