કર્ણાટક હિજાબ મામલે સુપ્રીમમાં સુનાવણી ટળી, 5મી સપ્ટેમ્બરે થશે વાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 11:37:12

સુનાવણી ટળી, વિવાદ યથાવત

કર્ણાટકથી શરૂ થયેલો હિજાબ વિવાદ સુપ્રીમ કૉર્ટ સુધી તો પહોંચી ગયો છે પણ સુનાવણી ટળતી જ જાય છે, સુપ્રીમ કૉર્ટ આ મામલે હવે 5મી સપ્ટેમ્બરે સુનાવણી કરશે, જાન્યુઆરી 2022થી વકરેલો આ વિવાદ કર્ણાટકની સીમાને પાર પહોંચીને એક સમયે આખા દેશનો મુદ્દો બની ગયો હતો, કાનૂનનો મુદ્દો પહેલા ધાર્મીક અને પછી રાજકીય બન્યો હતો, અને આજે પણ ધર્મ-રાજનીતિના નામે ઉભેલો આ જ્વાળામુખી જીવતો જ છે જે ગમે ત્યારે ફાટી શકે છે



સુપ્રીમ કૉર્ટે રાજ્ય સરકારને પણ નોટીસ ઈશ્યુ કરી છે, કેમ કે હિજાબ કૉલેજમાં ના પહેરીને આવવાના નિર્ણયને કર્ણાટક હાઈકૉર્ટમાં અનેક લોકો પડકારી રહ્યા છે, આ વિવાદ શિક્ષણ-સંકુલમાં કોઈપણ ધાર્મીક પરિવેશ ના પહેરીને આવવો એમ જોવા કરતા ધર્મ અને એને પાળવાની આઝાદીના ખતરા તરીકે જોવાઈ રહ્યો છે, સુપ્રીમ કૉર્ટનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી તો કૉલેજમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ જ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે