કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત કોરોના પોઝિટિવ, નિવાસ સ્થાને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા


  • Published By :
  • Published Date : 2024-01-09 20:54:48

કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને તેમના નિવાસ સ્થાને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. રાજ્યમાં વધી રહેલા સંક્રમિતોની સંખ્યાએ સરકારની ચિંતા વધારી રહી છે. સરકારે સાર્વજનિક સ્થાનો પર માસ્ક પહેલા જ અનિવાર્ય કર્યા હતા ત્યારે હવે નવી ગાઇડલાઈન્સ જાહેર કરી છે. સાથે જ જનતાને સરકારને સહયોગ આપવાની અપીલ કરી છે. સતત બગડતી જતી સ્થિતિને જોતા સરકારે શ્વાસ લેવામાં જેમણે તકલીફ થતી હોય તેઓ અને ઈન્ફ્લૂએન્ઝા બીમારીવાળા લોકો માટે કોરોના ટેસ્ટિંગને અનિવાર્ય કરી દીધા છે.


કર્ણાટક સરકારે કર્યો આદેશ


કર્ણાટકમાં વધતા કોરોના સંક્રમણને લઈ સરકાર પણ સક્રિય બની છે, રાજ્યની કોંગ્રેસ સરકારે આદેશ બાદ કોરોનાના ટેસ્ટિંગ ફરજિયાત કરી દેવાયા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડુએ કહ્યું કે- કર્ણાટકના ઈન્ફ્લૂએન્ઝા જેવી બીમારી કે ગંભીર શ્વસન બીમારીવાળી વ્યક્તિઓ માટે કોવિડ 19 પરીક્ષણ ફરજિયાત કરી દેવાયા છે. સાથે જ એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓની સાથે બેઠક પછી મંત્રીએ કહ્યું- દરરોજ 7000થી વધુ ટેસ્ટ કરવામાં આવે છે અને રાજ્યમાં ગભરાવવાની કોઈ વાત નથી. રાજ્યમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 3.82 ટકા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.