કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું 'PM મોદી ઝેરીલા સાપ છે', વિવાદ વધતા ફેરવી તોળ્યું


  • Published By :
  • Published Date : 2023-04-27 19:24:38

કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ગુરૂવારે કહ્યું કે પીએમ મોદી એક ઝેરીલા સાપ જેવા છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જે તેને ચાટશે તે મરી જશે. અત્રે ઉલ્લેખનિય છે કે મલ્લિકાર્જુન ખડગે કર્ણાટક ચૂંટણી પ્રચાર અભિયાનમાં પોતાના મત વિસ્તારમાં જનમેદનીને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. 


હોબાળો થતા ખડગેએ સ્પષ્ટતા કરી


જો કે થોડા સમય બાદ તેમના આ નિવેદન બાદ હોબાળો મચી જતા મલ્લિકાર્જુન ખડગેએ બાદમાં સ્પષ્ટતા કરી હતી. મલ્લિકાર્જુન ખડગેએ તેમના આ નિવેદનને લઈ સફાઈ આપતા કહ્યું કે" નહીં, નહીં, મારો મતલબ પીએમ મોદીથી નહોતો પણ બીજેપીની વિચારધારાથી છે આ વિચારધારા સાપ જેવી છે. મેં આ નિવેદન મોદીને વ્યક્તિગત રૂપે ક્યારેય કહ્યું નથી. મેં કહ્યું હતું કે તેમની વિચારધારા સાંપ જેવી છે, અને જો તમે તેનો સ્પર્શ પણ કરો છો, તો તમારૂ મૃત્યું ચોક્કસ છે" 


CM બોમ્મઈએ આપ્યો જવાબ


કોંગ્રેસના પ્રમુખના નિવેદન અંગે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું કે "ખડગેના મનમાં જ ઝેર છે, તે પીએમ મોદી અને બીજેપી પ્રત્યે પૂર્વાગ્રહથી ગ્રસિત મગજ ધરાવે છે. આ પ્રકારની વિચારધારા હતાશાના કારણે આવે છે કેમ કે તે તેમની સાથે રાજનૈતિક રીતે લડવા માટે અસમર્થ છે, અને તે જોઈ રહ્યા છે કે તેમનું વહાણ ડૂબી રહ્યું છે, લોકો તેમને બોધપાઠ શિખવાડશે"



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.