અમિત શાહને બોલવું ભારે પડ્યું, કોંગ્રેસે નોંધાવી FIR, જાણો શું હતો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-27 19:29:25

કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કાઈક એવું કહ્યું કે જેને લઈને કોંગ્રેસે ફરિયાદ નોંધાવી છે. અમિત શાહે તેમના નિવેદનમાં કહ્યું હતું ક જો રાજ્યમાં  કોંગ્રેસની સરકાર બની તો રાજ્યમાં રમખાણો થશે. આ અંગે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે, અને અમિત શાહ સામે એફઆઈઆર નોંધાવી છે. તે સાથે જ કોંગ્રેસે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે. 


કોંગ્રેસે નોંધાવી FIR


કોંગ્રેસના નેતા અને  કર્ણાટક ચૂંટણી પ્રભારી રણદીપ સુરજેવાલા અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ડીકે શિવકુમાર ગેરૂવારે બેંગલુરૂના ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપા નેતા અમિત શાહ, જે રેલીમાં ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું તે રેલીના આયોજક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં લોકોમાં દુશ્મનાવટ ફેલાવવાનો અને વિપક્ષને બદનામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા ડીકે શિવ કુમારે કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રી કહે છે કે જો કોંગ્રેસ સત્તામાં આવી તો રમખાણો થશે. તે આવું કેવી રીતે કહીં શકે છે, અમે ચૂંટણી પંચને પણ આ અંગે ફરિયાદ કરી છે.


અમિત શાહે શું કહ્યું હતું?


અત્રે ઉલ્લેખનિય છે કે કર્ણાટકના બેલગાવીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બને છે તો રાજ્યનો વિકાસ રિવર્સ ગિયરમાં થશે, વંશવાદની રાજનિતી ચરમસીમા પર પહોંચશે અને કર્ણાટકમાં રમખાણોથી પિડીત રાજ્ય બનશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.