કર્ણાટકમાં CM પદ માટે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારના સમર્થકોએ વચ્ચે પોસ્ટર વોર શરૂ, આજે સાંજે CLPની બેઠકમાં થશે ફેંસલો


  • Published By :
  • Published Date : 2023-05-14 12:22:08

કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ હવે સર્વત્ર એક જ સવાલ થઈ રહ્યો છે કે નવા મુખ્યમંત્રી કોણ બનશે. આ પદ માટે બે નેતાઓ એક પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડી કે શિવકુમારનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જો કે કોંગ્રેસના આ બંને નેતાઓના સમર્થકો વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે.બેંગલુરૂમાં સૌથી પહેલા સિદ્ધારમૈયાના ઘરની બહાર અને ત્યાર બાદ ડી કે શિવકુમારના સમર્થકોએ તેમને ભાવી મુખ્યમંત્રી બતાવતા પોસ્ટરો લગાવ્યા હતા. જો કે આ મામલે કોંગ્રેસના અગ્રણી નેતા તથા કોંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્યો (CLP)ની એક બેઠક આજે સાંજે 6 વાગ્યે યોજાશે.  


CM પદના બંને દાવેદારોએ શું કહ્યું?


કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી 135 સીટો જીતીને સરકાર બનાવી રહી છે, ત્યારે રાજ્યનો મુખ્યમંત્રી કોણ બનશે તેની લઈને અવઢવની સ્થિતી જોવા મળી રહી છે. આ મુદ્દે સિદ્ધારમૈયાએ શનિવારે કહ્યું કે હાઈકમાન નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું મંતવ્ય જાણશે અને ત્યાર બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે. હાઈકમાન દ્વારા રાજ્યમાં નિરિક્ષકોને મોકલવામાં આવશે, અને યોગ્ય પ્રક્રિયા બાદ જ આ મામલે ચોક્કસ નિર્ણય લેવામાં આવશે. જ્યારે શિવ કુમારે પણ કહ્યું હતું કે હાઈકમાન ફોન કરશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.