કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાની ટીમમાં થયો વધારો! 24 મંત્રીઓનો મંત્રી મંડળમાં થયો સમાવેશ! મંત્રીઓએ લીધા શપથ!


  • Published By :
  • Published Date : 2023-05-27 16:16:05

કર્ણાટકમાં કોંગ્રેસે સરકાર બનાવી દીધી છે. ચૂંટણીનું પરિણામ આવ્યાના અનેક દિવસો બાદ મુખ્યમંત્રીના નામની પસંદગી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના નામને ફાઈનલ કરવા અનેક બેઠકો કરવામાં આવી હતી. અનેક ચર્ચા વિચારણા કર્યા બાદ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવામાં આવ્યા હતા. ત્યારે સરકાર બનવાના સાત દિવસ બાદ કેબિનેટનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. 24 મંત્રીઓએ શપથ લીધી છે. મંત્રીઓને રાજ્યપાલ થાવરચંદ ગહલોતે શપથ લેવડાયા છે.

આ મંત્રીઓએ આજે ગ્રહણ કર્યા શપથ!

20મેના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયાએ શપથ લીધી હતી. ડે.સીએમ તરીકે ડી.કે.શિવકુમારે શપથ લીધા હતા. તેમની સાથે 8 મંત્રીઓએ શપથ લીધા હતા. ત્યારે આજે 24 મંત્રીઓએ મંત્રી તરીકેના શપથ લીધા છે. એચકે પાટીલ, કૃષ્ણા બાયરેગૌડા, એન ચેલુવરાયસ્વામી, કે વેંકટેશ, એચસી મહાદેવપ્પા, ઈશ્વર ખંડ્રે, એન રાજન્ના, દિનેશ ગુંડુ રાવ, એસ દર્શનપુર, શિવાનંદ પાટીલ, રામપ્પા બલપ્પા, એસ મલ્લિકાર્જુન, શિવરાજ સંગપ્પા, રુદ્રપ્પા પાટીલ, માંકલ વૈદ્ય, આર હેબાલકર, રહીમ ખાન, ડી સુધાકર, સંતોષ લાડ, એનએસ બોસેરાજુ, સુરેશ બીએસ, મધુ બંગરપ્પા, એમએસ સુધાકર, બી નાગેન્દ્રે શપથ ગ્રહણ કર્યા છે. આ મંત્રીઓના શપથ લીધા બાદ કર્ણાટકની કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા 34 પર પહોંચી છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.