આજે થશે કર્ણાટકના સીએમના નામની ઘોષણા? બેઠકોના દોર બાદ હાઈકમાન્ડને સોંપાયો રિપોર્ટ! સિદ્ધારમૈયાએ કર્યો સીએમ બનવાનો દાવો!


  • Published By :
  • Published Date : 2023-05-16 09:35:04

કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. મુખ્યમંત્રી કોણ હશે તે અંગે અસમંજસ છે. નવા સીએમના નામને લઈ કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે. સિદ્ધારમૈયા તેમજ ડી.કે શિવકુમારના નામો મુખ્યમંત્રી તરીકે ચર્ચાઈ રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગે મુખ્યમંત્રી અંગે નિર્ણય લેશે. ત્યારે મળતી માહિતી અનુસાર સીએમ પદની ઘોષણા કરતા પહેલા આ મામલે સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધીની સલાહ લેવાઈ શકે છે. સિદ્ધારમૈયા ગઈકાલે દિલ્હી પહોંચ્યા હતા જ્યારે ડી.કે શિવકુમાર આજે દિલ્હી પહોંચી શકે છે.

 


આજ સાંજ સુધીમાં મુખ્યમંત્રીના નામની થઈ શકે છે ઘોષણા!

13 મેના રોજ કર્ણાટક ચૂંટણીના પરિણામ આવ્યા હતા જેમાં કોંગ્રેસને બહુમતી મળી છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનવાની છે. ત્યારે જીત્યા બાદ કર્ણાટકના સીએમ કોણ હશે તે માટે કોંગ્રેસમાં મનોમંથન ચાલી રહ્યું હતું. સોમવારે બેંગલુરૂથી લઈ દિલ્હી ખાતે બેઠકોનો દોર ચાલ્યો હતો. સુશીલ કુમાર શિંદે, ભંવર જિતેન્દ્ર સિંહ અને દીપક બાવરિયાએ પોતાનો રિપોર્ટ મલ્લિકાર્જુન ખડગેને સોંપ્યો છે. આજ સાંજ સુધીમાં સીએમ અંગે ઘોષણા થઈ શકે છે તેવી સંભાવના છે.

રાહુલ ગાંધી તેમજ સોનિયા ગાંધી સાથે આ મામલે થશે ચર્ચા!

સિદ્ધારમૈયા અને ડી.કે શિવકુમારના સમર્થકો વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ ગયો હતો. આગામી મુખ્યમંત્રી અંગે તેમણે પોસ્ટરો લગાવ્યા હતા. આ બધા વચ્ચે સિદ્ધારમૈયાએ દાવો કર્યો કે અનેક ધારાસભ્યો તેમને મુખ્યમંત્રી બનાવા માગે છે. તો ડી.કે શિવકુમારે કહ્યું કે મારા કોઈ ધારાસભ્યો નથી. હું બગાવત નહીં કરું ઉપરાંત બ્લેકમેલ પણ નહીં કરૂ. મહત્વનું છે કે શનિવારે પરિણામ આવ્યું હતું પરંતુ હજી સુધી મુખ્યમંત્રીના નામની ઘોષણા તો ઠીક પરંતુ મુખ્યમંત્રી કોણ હશે તે હજી નક્કી નથી કરી શકાયું. એવું માનવામાં આવી રહ્યું છે સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધી સાથે આ મામલે ચર્ચા થશે અને તે બાદ નિર્ણય લેવામાં આવશે. મંગળવાર સાંજ સુધીમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.       




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.