બેંગલુરુમાં લોકાયુક્તના દરોડા, ભાજપના MLAનો પુત્ર 40 લાખની લાંચ લેતા ઝડપાયો, ઓફિસ અને ઘરેથી મળ્યા 7.7 કરોડ રૂપિયા


  • Published By :
  • Published Date : 2023-03-03 14:25:18

કર્ણાટકમાં લોકાયુક્તની એન્ટી કરપ્શન વિંગે ગુરૂવારે મોટી કાર્યવાહી કરતા ભાજપના ધારાસભ્યના પુત્રને 40 લાખની લાંચ લેતા ઝડપી લીધો છે. ભાજપના ધારાસભ્ય મદલ વિરૂક્ષપ્પાના પુત્ર પ્રશાંત મદલની લાંચ કેશમાં તેની ઓફિસમાંથી જ ધરપકડ કરી છે. કરપ્શન વિંગે ઓફિસમાંથી 1.7 અને ઘરમાંથી 6 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. હાલ તો બેંગલુરૂની  લોકઆયુક્ત અદાલતે પ્રશાંતને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. પ્રશાંત ઉપરાંત અન્ય 4 લોકોની ને પણ ધરપકડ કરવામાં આવી છે. રોકડ એટલા મોટા પ્રમાણમાં હતી કે ટીમને રૂપિયા ગણાતા આખી રાત લાગી હતી. 


લોકાયુક્તને મળી હતી ફરિયાદ


કર્ણાયક લોકાયુક્તને લાંચ માગવાની ફરિયાદ મળી હતી,કર્ણાટક કેડરના અધિકારી પ્રશાંતે કાચા માલ માટે એક કોન્ટ્રાક્ટર પાસે 81 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. લોકાયુક્તની આ કાર્યવાહી બાદ ધારાસભ્ય મદલ વિરૂપક્ષપ્પાએ કર્યાટકના સાબુ અને ડિટરર્જન્ટ લિમિટેડના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. કર્ણાટકના મુખ્યમંત્રીને લખેલા પત્રમાં તેમણે કહ્યું મારા પરિવાર સામે આ ષડયંત્ર છે, હું તેની નૈતિક લેતા મારી જવાબદારી સ્વિકારી રાજીનામું આપી રહ્યો છું કેમ કે આરોપ મારા વિરૂધ્ધ છે.

 

આ વર્ષે યોજાશે વિધાનસભા ચૂંટણી


ભાજપના ધારાસભ્યનો પુત્ર લાંચ લેતા ઝડપાતા સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો છે. કેમ કે રાજ્યમાં આ વર્ષે જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ માટે આ ઘટના મોટા રાજકીય ફટકા સમાન છે. 



29 જૂને ઈન્ડિયન ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.... ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. આટલું જ નહીં, ભારતે 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી..છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે..

અમદાવાદના શેલાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં વરસાદ પડવાને કારણે રસ્તા પર ભુવો પડી ગયો છે. કોંગ્રેસે આને લઈ સરકાર પર નિશાન સાધ્યું છે.

અમદાવાદના બોપલમાં ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે.. બંને ગાડી વચ્ચે એટલો ગંભીર અકસ્માત થયો છે કે બંને વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા હોવાના સમાચાર મળ્યા છે જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.