કરીના કપૂર પુત્રો તૈમૂર અને જેહ સાથે હોળી રમી, કરિશ્માએ પણ ખુબ ઉડાડ્યો રંગ અને ગુલાલ


  • Published By :
  • Published Date : 2023-03-07 17:31:07

દેશભરમાં હોળીના તહેવારની ભારે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી, બોલિવુડ કલાકારોએ પણ આ દિવસે રંગમાં તરબોળ જોવા મળ્યા. બોલિવુડ અદાકારા કરીના કપૂર ખાને તેના બે પુત્રો તૈમુર અને જેહ અલી ખાન સાથે હોળીની મજા માણી હતી. તે જ પ્રકારે કરીનાની બહેન કરિશ્મા કપૂરે પણ તેના નિવાસ્થાને હોળીની ઉજવણી કરી હતી. બંને બહેનોએ તેમની તસવીરો સોશિયલ મિડીયા પર શેઅર કરી છે. 


કરિનાએ લખ્યું કે...


હોળી સેલિબ્રેશનની તસવીરો શેઅર કરતા કરિના કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેઅર કરવાની સાથે સાથે લખ્યું કે આજે સારી ઉંઘ આવશે, કરિનાએ ગ્રીન ટી શર્ટ તો જેહ અને તૈમુર રંગોથી તરબોળ હાથમાં પિચકારી સાથે જોવા મળ્યા, કરિનાએ લખ્યું પોસ્ટમાં લખ્યું કે " આ ધમાકેદાર હોળી બાદ જે શાનદાર ઉંઘ અમે લેવાના છિએ, તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છિએ. તમારા બધાના જીવનમાં પણ રંગ, પ્રેમ અને ખુશીઓનો વરસાદ થાય. હેપ્પી હોળી". રસપ્રદ બાબત એ છે કે આ હોળીની ઉજવણીમાં સૈફ અલી ખાન જોવા મળ્યા નહોતા.  


કરિશ્મા કપૂરે પણ કરી ઉજવણી


હોળી પર, તૈમૂર અને જેહે ઘણા રંગો અને ગુલાલ ઉડાડ્યા હતા. તસવીરમાં બંને ભાઈઓ રંગે રંગાયેલા અને ભીંજાયેલા જોવા મળી રહ્યા છે. જ્યારે , કરિશ્મા કપૂરે પણ હોળીની ઉમંગભેર ઉજવણી કરી અને રંગ-ઉલાલ ઉડાડ્યો હતો. કરિશ્મા તેના ઘરે હોળી રમી હતી, જેની તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે કપૂર પરિવારમાં વર્ષોથી પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. રાજ કપૂર પણ તેમના મિત્રો અને કિન્નર સમુદાય સાથે આર કે સ્ટુડિયોમાં હોળી મનાવતા હતા. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે