બ્રિજભૂષણ શરણ મામલે પીએમ મોદી દ્વારા સેવાયેલા મૌન પર કપિલ સિબ્બલનો કટાક્ષ! ટ્વિટ કરી કહી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-06-03 16:52:19

બ્રિજભૂષણ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી કુસ્તીબાજો માગ કરી રહ્યા છે. પોતાના પદ ઉપરથી WFIના પ્રમુખની ધરપકડ કરવામાં આવે તેવી તેમની માગ છે. પહેલવાનોના સમર્થનમાં અનેક રાજનેતાઓ આવ્યા છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ આ મામલે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. રાજકીય પાર્ટી આ મામલે આક્રામક દેખાઈ રહી છે. ત્યારે રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બિલે બ્રિજભૂષણ શરણ સિંહ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે. આ મામલે પીએમ મોદીએ કેમ કોઈ પ્રતિક્રિયા નથી આપી તે અંગે સવાલ પૂછ્યા છે. પીએમ મોદી અને ભાજપના નેતાઓ દ્વારા સેવાતા મૌનને લઈ પ્રશ્ન પૂછ્યા છે. આ મામલે સિબ્બલે ટ્વિટ કરી છે.

    

કપિલ સિબ્બલનો સરકારને કટાક્ષ!

પહેલવાનો દ્વારા કરવામાં આવેલા વિરોધને લઈ દરેક જગ્યા પર ચર્ચા થઈ રહી છે. બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. આ મામલે અનેક નેતાઓની પ્રતિક્રિયા આવી છે પરંતુ આ મામલે ભાજપના નેતાઓની અને મુખ્યત્વે પીએમ મોદીની કોઈ પ્રતિક્રિયા આવી નથી. આ વાતને લઈ કપિલ સિબ્બલે સરકાર પર નિશાન સાધ્યું છે. આ મામલે કપિલ સિબ્બલે ટ્વિટ કરી લખ્યું કે મામલાની તપાસ કરવા માટે સબૂત પુરતા છે. લોકોમાં તેમના પ્રત્યે રોષ વધી રહ્યો છે. પરંતુ હજી સુધી તેમની ધરપકડ નથી થઈ અને પીએમ મોદી, અમિત શાહ, બીજેપી અને આરએસએસ ચૂપ છે. સરકાર બધાની સાથે નથી પરંતુ માત્ર બ્રિજભૂષણ શરણ સિંહની છે. 


ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનું મળ્યું સમર્થન!

પહેલવાનોના સમર્થનમાં ખેલાડીઓ ધીમે ધીમે આવી રહ્યા છે. ગઈકાલે જ પહેલવાનોના સમર્થનમાં કપિલ દેવની વર્લ્ડ કપ વિજેતા ટીમ આવી છે. વર્ષ 1983નો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમ કુસ્તીબાજોના સમર્થનમાં સામે આવી છે. જેમાં કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર અને મદનલાલ સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરોનો સમાવેશ થાય છે. આ તમામે સંયુક્ત નિવેદન જારી કરીને કુસ્તીબાજોને મેડલ ગંગામાં ન વહાવવાની અપીલ કરી છે. મહત્વનું છે કે બ્રિજભૂષણ શરણ સિંહ 5 જૂનના રોજ અયોધ્યામાં રેલી કરવાના હતા પરંતુ તેમના કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો છે.  



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .