સંસદમાં અવાજ બંધ કરવા રાહુલ ગાંધી પર કેસ, પાટીદાર અનામત માંગનારો મારો મિત્ર ભાજપમાં ગયો તેના બધા ગુના ધોવાઈ ગયા: કનૈયા કુમાર


  • Published By :
  • Published Date : 2023-03-31 20:39:30

કોંગ્રેસના નેતા ડો. કનૈયા કુમાર આજે સુરતની મુલાકાતે પહોંચ્યા હતા, તેમણે સુરતમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ અને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાહુલ ગાંધીની સજાથી લઈને, અદાણી, હાર્દિક પટેલ સહિતના મુદ્દે ભાજપની ઝાટકણી કાઢી હતી. રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થવાના મુદ્દાને તેમણે ભાજપનો પ્રિ-પ્લાન ગણાવ્યો હતો.  સંસદમાં વિપક્ષ તરીકે રાહુલ ગાંધીનો અવાજ બંધ કરી દેવા માટે આ સમગ્ર ખેલ રચવામાં આવ્યો હતો.


કેસ માનહાનિનો પણ ઈરાદો અવાજ બંધ કરવાનો


કનૈયા કુમારે કહ્યું કે રાહુલ ગાંધી સામેના માનહાનિનો ખોટો કેસ ઘડવામાં આવ્યો હતો તેનું અસલ કારણ  આ રીતે સંસદમાં તેમનો અવાજ બંધ કરાવાનો હતો. સરકારની બેઈમાનીની વાતો લોકો સુધી ન પહોંચે તે માટે આ કરવામાં આવ્યું છે. જે કંપનીની બઈમાનીને લઈ સંસદમાં છેલ્લા ઘણા દિવસોથી રાહુલ ગાંધી દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે અને ચર્ચા કરવામાં આવી રહી છે તે ચર્ચાને જ દૂર કરી દેવાય તે માટે આ પ્રકારનો માનહાનિ ના નામનો મામલો આગળ કરીને ચુકાદો લાવવામાં આવ્યો છે. આ કેસમાં સુરતની કોર્ટના જે  જજે ચુકાદો સંભળાવ્યો તેને લઈ જજના પણ તેમણે આડકતરી ટકોર કરી હતી. કનૈયા કુમારે જજ પર કટાક્ષ કર્યો કરતા કહ્યું કે સુરત કોર્ટના માનનીય જજ હરેશ વર્માજીને ચુકાદો સંભળાવ્યા બાદ પ્રમોશન મળ્યું છે. ત્યારે તેમના પ્રમોશનને લઈ હું તેમને અને તેમના પરિવારને હાર્દિક શુભકામના પાઠવું છું અને જીવનમાં આ જ રીતે આગળ વધવાની શુભેચ્છા પાઠવું છું.


હાર્દિક પટેલ પર સાધ્યું નિશાન


કનૈયા કુમારે પાટીદાર અનામત આંદોલનના પૂર્વ નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને પણ નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે "મારો એક ખૂબ જ જૂનો દોસ્ત છે. અત્યારે જેમ અન્ય લોકો બેઠા છે તેવી રીતે એ પણ મારી સાથે બાજુમાં બેસતો હતો. મારા એ મિત્રને ભાજપવાળા દેશદ્રોહી કહેતા હતા. અનેક જુદા જુદા કેસો તેની પર કર્યા હતા. હવે મારો મિત્ર ભાજપમાં ગયો તેના બધા ગુના ધોવાઈ ગયા છે. આજે તેના પર લગાવવામાં આવેલા તમામ કેસ દૂર થઈ ગયા છે. ભાજપમાં જઈ તે ધારાસભ્ય બની ગયો છે. જો બરોબર આ જ રીતે તે સેટ થઈ જશે તો મને લાગે છે તે આગામી દિવસોમાં મંત્રી અથવા મુખ્યમંત્રી પણ બની જશે. પાનની દુકાન ઉપર ભાજપના કાર્યકર્તાઓ જેને દેશદ્રોહી બતાવી રહ્યા હતા, પાટીદારો માટે અનામત  માંગવાને લઈ તેને જાતિવાદી કહેવામાં આવતો હતો, ટુકડે ટુકડે ગેંગનો સભ્ય કહેવામાં આવતો હતો. તે બધું જ સાફ થઈ ગયું, ધોવાઈ ગયું, માફ થઈ ગયું."



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!