કન્હૈયા કુમારને કોંગ્રેસમાં મળી મોટી જવાબદારી, NSUIના ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા, 2021માં પાર્ટીમાં જોડાયા હતા


  • Published By :
  • Published Date : 2023-07-06 20:18:30

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (INC)એ JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમારને મહત્વની જવાબદારી સોંપી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કન્હૈયા કુમારને નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના વિદ્યાર્થી પાંખના પ્રભારી જાહેર કર્યા છે. અગાઉ આ જવાબદારી રુચિ ગુપ્તા સંભાળી રહી હતી. તેમણે લગભગ અઢી વર્ષ પહેલા પદ પરથી રાજીનામું આપ્યું હતું.


કનૈયાને મળી મોટી જવાબદારી


ઘણા સમયથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે કન્હૈયા કુમારને કોંગ્રેસ પાર્ટીમાં કોઈ મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે તેમને દિલ્હી અથવા બિહારના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. જો કે હવે કોંગ્રેસ પાર્ટીએ તેમને પોતાની વિદ્યાર્થી પાંખના અધ્યક્ષ બનાવ્યા છે. તેમને વિદ્યાર્થી નેતા તરીકે કામ કરવાનો લાંબો અનુભવ પણ છે. કન્હૈયાને ઉત્તમ વક્તા માનવામાં આવે છે. જેએનયુ વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં તેમની જીતનું કારણ પણ તેમનું ભાષણ માનવામાં આવે છે. રાજદ્રોહના આરોપનો સામનો કરનારા કન્હૈયા કુમાર ચૂંટણી પણ લડી ચુક્યા છે.


2021માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા


કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે એક અખબારી યાદી બહાર પાડીને કહ્યું કે, "કોંગ્રેસ પ્રમુખે માનનીય કન્હૈયા કુમારને તાત્કાલિક અસરથી NSUIના પ્રભારી તરીકે જાહેર કર્યા છે." કન્હૈયા કુમાર વર્ષ 2021માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. આ પહેલા તેઓ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય હતા. તેઓ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જેએનયુમાં આપેલા ભાષણને કારણે તેઓ સૌથી પહેલા ચર્ચામાં આવ્યા હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.