અમૃતસરમાં થયેલા હુમલાને લઇને કંગના રનૌતે સોશિયલ મીડિયા પર કહી વાત, જાણો શું લખ્યું આ વખતે


  • Published By :
  • Published Date : 2023-02-25 17:07:11

સોશિયલ  મીડિયા પર એક્ટિવ રહેતી તેમજ હંમેશા વિવાદોમાં રહેતી બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે પંજાબમાં ચાલી રહેલી હિંસાને લઈ ટિપ્પણી કરી છે. સોશિયલ મીડિયા પર કંગનાએ પંજાબની પરિસ્થિતિને લઈને પોસ્ટ મૂકી છે જેમાં તેમણે કહ્યું કે પંજાબમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેને લઈને મેં બે વર્ષ પહેલા ભવિષ્યવાણી કરી હતી. મારી સામે ઘણા કેસ નોંધાયા હતા. મારી સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. મારી કાર પર પંજાબમાં હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તે જ થયું ને જે મેં જે કહ્યું હતું. પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે ખાલિસ્તાનને ન માનનાર શીખો તેમની સ્થિતિ અને ઈરાદા સાફ કરે.

    

આની ભવિષ્યવાણી મેં બે વર્ષ પહેલા કરી હતી - કંગના  

કંગનાએ લખ્યું કે પંજાબમાં આજે થઈ રહ્યું છે તેની ભવિષ્યવાણી મેં બે વર્ષ પહેલા કરી હતી. મારી સામે ઘણા કેસ નોંધાયા હતા. મારી સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. મારી કાર પર પંજાબમાં હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તે જ થયું ને જે મેં કહ્યું હતું. પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે ખાલિસ્તાનને ન માનનાર શીખો તેમની સ્થિતિ અને ઈરાદા સાફ કરે. તે ઉપરાંત કંગનાએ અમૃતપાલ સિંહના ચેલેન્જનો સ્વીકાર કરતા હોય તેવી પણ ટ્વિટ મૂકી હતી.


કંગના રનૌતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શેર 

અજનાલા થાનામાં 23 ફેબ્રુઆરીના રોજ તલવાર તેમજ બંદૂક લઈને ખાલિસ્તાન સર્મથકોએ હુમલો કર્યો હતો. અમૃતસરના અજનાલાના પોલીસ સ્ટેશનમાં થયેલા હુમલામાં વારિસ પંજાબ દે નામના સંગઠનના અધ્યક્ષ અમૃતપાલ સિંહનું નામ ચર્ચાઈ રહ્યું છે. અમૃતપાલ સિંહના સમર્થકોએ જ પોતાના એક સાથી લવપ્રીત તુફાનની ધરપકડના વિરોધમાં હુમલો કર્યો હતો. પંજાબમાં સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. આ સ્થિતિ પર કંગના રનૌતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. 

The Farmers' Movement and

ખેડૂત આંદોલન વિશે કંગનાએ કરી હતી ટિપ્પણી  

કંગના રનૌતે બે વર્ષ પહેલા દિલ્હી બોર્ડર પર થયેલા ખેડૂત આંદોલનને લઈ ટિપ્પણી કરી હતી. એક મહિલા પર ટિપ્પણી કરતા કહ્યું કે પૈસા લઈને વૃદ્ધ મહિલા ધરણામાં સામેલ થાય છે. તે ઉપરાંત વિરોધ કરી રેહલા ખેડૂતોને કંગનાએ ખાલિસ્તાની ગણાવ્યા હતા. પંજાબમાં એન્ટ્રી કરતી વખતે ખેડૂતોએ કંગનાને ઘેરી લીધી હતી. કંગનાની ગાડી પર હુમલો પણ કરવામાં આવ્યો હતો    






હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.