અમૃતસરમાં થયેલા હુમલાને લઇને કંગના રનૌતે સોશિયલ મીડિયા પર કહી વાત, જાણો શું લખ્યું આ વખતે


  • Published By :
  • Published Date : 2023-02-25 17:07:11

સોશિયલ  મીડિયા પર એક્ટિવ રહેતી તેમજ હંમેશા વિવાદોમાં રહેતી બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે પંજાબમાં ચાલી રહેલી હિંસાને લઈ ટિપ્પણી કરી છે. સોશિયલ મીડિયા પર કંગનાએ પંજાબની પરિસ્થિતિને લઈને પોસ્ટ મૂકી છે જેમાં તેમણે કહ્યું કે પંજાબમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેને લઈને મેં બે વર્ષ પહેલા ભવિષ્યવાણી કરી હતી. મારી સામે ઘણા કેસ નોંધાયા હતા. મારી સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. મારી કાર પર પંજાબમાં હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તે જ થયું ને જે મેં જે કહ્યું હતું. પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે ખાલિસ્તાનને ન માનનાર શીખો તેમની સ્થિતિ અને ઈરાદા સાફ કરે.

    

આની ભવિષ્યવાણી મેં બે વર્ષ પહેલા કરી હતી - કંગના  

કંગનાએ લખ્યું કે પંજાબમાં આજે થઈ રહ્યું છે તેની ભવિષ્યવાણી મેં બે વર્ષ પહેલા કરી હતી. મારી સામે ઘણા કેસ નોંધાયા હતા. મારી સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. મારી કાર પર પંજાબમાં હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તે જ થયું ને જે મેં કહ્યું હતું. પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે ખાલિસ્તાનને ન માનનાર શીખો તેમની સ્થિતિ અને ઈરાદા સાફ કરે. તે ઉપરાંત કંગનાએ અમૃતપાલ સિંહના ચેલેન્જનો સ્વીકાર કરતા હોય તેવી પણ ટ્વિટ મૂકી હતી.


કંગના રનૌતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શેર 

અજનાલા થાનામાં 23 ફેબ્રુઆરીના રોજ તલવાર તેમજ બંદૂક લઈને ખાલિસ્તાન સર્મથકોએ હુમલો કર્યો હતો. અમૃતસરના અજનાલાના પોલીસ સ્ટેશનમાં થયેલા હુમલામાં વારિસ પંજાબ દે નામના સંગઠનના અધ્યક્ષ અમૃતપાલ સિંહનું નામ ચર્ચાઈ રહ્યું છે. અમૃતપાલ સિંહના સમર્થકોએ જ પોતાના એક સાથી લવપ્રીત તુફાનની ધરપકડના વિરોધમાં હુમલો કર્યો હતો. પંજાબમાં સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. આ સ્થિતિ પર કંગના રનૌતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. 

The Farmers' Movement and

ખેડૂત આંદોલન વિશે કંગનાએ કરી હતી ટિપ્પણી  

કંગના રનૌતે બે વર્ષ પહેલા દિલ્હી બોર્ડર પર થયેલા ખેડૂત આંદોલનને લઈ ટિપ્પણી કરી હતી. એક મહિલા પર ટિપ્પણી કરતા કહ્યું કે પૈસા લઈને વૃદ્ધ મહિલા ધરણામાં સામેલ થાય છે. તે ઉપરાંત વિરોધ કરી રેહલા ખેડૂતોને કંગનાએ ખાલિસ્તાની ગણાવ્યા હતા. પંજાબમાં એન્ટ્રી કરતી વખતે ખેડૂતોએ કંગનાને ઘેરી લીધી હતી. કંગનાની ગાડી પર હુમલો પણ કરવામાં આવ્યો હતો    






21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે