ભાવનગર તોડકાંડ મામલે કાનભા ગોહિલના 5 દિવસના રીમાન્ડ મંજુર, 29 એપ્રીલ સુધી રહેશે કસ્ટડીમાં


  • Published By :
  • Published Date : 2023-04-24 19:20:54

સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દેનારા ડમીકાંડ બાદ બહાર આવેલ તોડકાંડમાં ભાવનગર પોલીસે આજે યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલને ભાવનગર સેસન્સ કોર્ટમાં રજુ કર્યા કર્યા હતા. કાનભા ગોહિલ પાસેથી રૂ. 38 લાખ રિકવર કર્યા બાદ ભાવનગર પોલીસે તેમને ભાવનગર સેસન્સ કોર્ટ સમક્ષ હાજર કરીને કોર્ટ પાસે તેમના પાસે રીમાન્ડ માગ્યા હતા.


કાનભા ગોહિલના રિમાન્ડ મંજૂર


પ્રાપ્ત વિગતો મુજબ તોડકાંડ મામલે યુવરાજ સિંહના સાળા કાનભા ગોહિલની સંડોવણી સામે આવતા તેમની પણ ધરપકડ કરીને પૂછપરછ તથા તપાસ હાથ ધરી હતી. પોલીસે યુવરાજ સિંહના સાળા કાનભા ગોહિલ પાસેથી રુપિયા 38 લાખ કબજે કર્યા હતા. જો કે કાનભા ગોહિલની વધુ પૂછપરછ માટે પોલીસે ભાવનગર સેસન્સ કોર્ટ સમક્ષ કાનભાના રિમાન્ડ માગતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. કાનભા ગોહિલ હવે 29 તારીખ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે.


1 કરોડમાંથી 38 લાખ રિકવર


ભાવનગર તોડકાંડમાં 1 કરોડ ખંડણીની ફરિયાદમાં યુવરાજસિંહ જાડેજા સહિત 6 શખ્સો સામે એક કરોડની ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ત્યારે એસઆઇટીની ટીમ દ્વારા યુવરાજસિંહ જાડેજાની સાથે અન્ય શખ્સોની થયેલી અટકાયતમાં યુવરાજસિંહ જાડેજાના સાળા કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા ગોહિલના હસ્તે એક કરોડ પૈકી 38 લાખ જેવી રકમ પોલીસે જપ્ત કરી છે. પોલીસે 38 લાખ રૂપિયા પંચોની હાજરીમાં જપ્ત કર્યા છે જેના પુરાવા પણ પોલીસે જાહેર કર્યા હતાં.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.