ભાવનગર તોડકાંડ મામલે કાનભા ગોહિલના 5 દિવસના રીમાન્ડ મંજુર, 29 એપ્રીલ સુધી રહેશે કસ્ટડીમાં


  • Published By :
  • Published Date : 2023-04-24 19:20:54

સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દેનારા ડમીકાંડ બાદ બહાર આવેલ તોડકાંડમાં ભાવનગર પોલીસે આજે યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલને ભાવનગર સેસન્સ કોર્ટમાં રજુ કર્યા કર્યા હતા. કાનભા ગોહિલ પાસેથી રૂ. 38 લાખ રિકવર કર્યા બાદ ભાવનગર પોલીસે તેમને ભાવનગર સેસન્સ કોર્ટ સમક્ષ હાજર કરીને કોર્ટ પાસે તેમના પાસે રીમાન્ડ માગ્યા હતા.


કાનભા ગોહિલના રિમાન્ડ મંજૂર


પ્રાપ્ત વિગતો મુજબ તોડકાંડ મામલે યુવરાજ સિંહના સાળા કાનભા ગોહિલની સંડોવણી સામે આવતા તેમની પણ ધરપકડ કરીને પૂછપરછ તથા તપાસ હાથ ધરી હતી. પોલીસે યુવરાજ સિંહના સાળા કાનભા ગોહિલ પાસેથી રુપિયા 38 લાખ કબજે કર્યા હતા. જો કે કાનભા ગોહિલની વધુ પૂછપરછ માટે પોલીસે ભાવનગર સેસન્સ કોર્ટ સમક્ષ કાનભાના રિમાન્ડ માગતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. કાનભા ગોહિલ હવે 29 તારીખ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે.


1 કરોડમાંથી 38 લાખ રિકવર


ભાવનગર તોડકાંડમાં 1 કરોડ ખંડણીની ફરિયાદમાં યુવરાજસિંહ જાડેજા સહિત 6 શખ્સો સામે એક કરોડની ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ત્યારે એસઆઇટીની ટીમ દ્વારા યુવરાજસિંહ જાડેજાની સાથે અન્ય શખ્સોની થયેલી અટકાયતમાં યુવરાજસિંહ જાડેજાના સાળા કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા ગોહિલના હસ્તે એક કરોડ પૈકી 38 લાખ જેવી રકમ પોલીસે જપ્ત કરી છે. પોલીસે 38 લાખ રૂપિયા પંચોની હાજરીમાં જપ્ત કર્યા છે જેના પુરાવા પણ પોલીસે જાહેર કર્યા હતાં.



થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .