ભવન્સ કોલેજ ખાતે મોરારી બાપુના હસ્તે થશે કનૈયાલાલ મુનશીની પ્રતિમાનું લોકાર્પણ તેમજ વાંચનાલયમાં કાન્તિ ભટ્ટના પુસ્તકોનું કરી શકાશે વાંચન


  • Published By :
  • Published Date : 2023-03-31 13:27:25

પુસ્તકને માણસનો સૌથી સારો મિત્ર માનવામાં આવે છે. વાંચન કરવાથી માણસના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. ત્યારે ગુજરાતી સાહિત્યમાં એવા અનેક સાહિત્યકારો થઈ ગયા જેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. ત્યારે ભવન્સ કોલેજમાં ડો. કનૈયાલાલ માણેકલાલ મુનશીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવવાનું છે. પ્રખ્યાત રામ કથાકાર મોરારી બાપુના હસ્તે ભારતીય વિદ્યા ભવનના આદ્યસ્થાપક, લોકપ્રિય ગુજરાતી લેખક અને કુલપતિની પ્રતિમાનું લોકાર્પણ થવાનું છે.

ગુજરાતમાં અસ્મિતાના સંદર્ભે

મોરારી બાપુની જાહેરાત બાદ રામ મંદિર માટે 16.80 કરોડનું દાન મળ્યું | Gujarat  News in Gujarati


અનેક પુસ્તકો અને લેખોને કરાયા છે ડિજિટાઈઝ 

પ્રતિમાના અનાવરણ ઉપરાંત ભવન્સ કોલેજ ખાતે નિર્મિત સ્વ. કાન્તિ ભટ્ટ સ્મારક અને વાંચનાલય ખાતે તેમના ડિજિટાઈઝડ કરાયેલા લેખસંગ્રહને પણ જાહેર જનતા માટે ખુલ્લા મુકાશે. કાન્તિભાઈના પત્ની અને જાણીતાં પત્રકાર શીલા ભટ્ટ દ્વારા અનેક પુસ્તકો તેમજ લેખનોને અર્પણ કરવામાં આવ્યા હતા. અંદાજીત 1600થી વધુ પુસ્તકો અને અંદાજે 16000 જેટલા કાન્તિભાઈના લેખોને ડિજિટાઈઝ કરવામાં આવ્યા છે જેને વાંચકો માટે ઉપલબ્ધ કરવામાં આવશે.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.