ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશનની કાયાપલટ થશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 17:47:51

કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાત મુલાકાતે છે ત્યારે કાલુપુર રેલવે સ્ટેશન મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર 2 હજાર કરોડના ખર્ચે કામગીરી  કરવામાં આવશે. અશ્વિની વૈષ્ણવ કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી જે કામગીરી કરવામાં આવનાર છે તેનું નિરીક્ષણ કર્યું હતું. 


શું નવું હશે આ નવા રેલ્વે સ્ટેશનમાં?

ગાર્ડન, મૉલ, એલિવેશન રોડ, બુકિંગ એરિયા, રેસ્ટ રૂમ, અન્ય આધુનિક ટેકનોલોજી સાથે રેલવે સ્ટેશન ઉભું કરવામાં આવશે મુસાફર કાલુપુર અને સરસપુર બંને તરફથી એન્ટ્રી લઈ શકશે તેવી તેના માટે વિશાળ એન્ટ્રી અને એક્ઝીટના દરવાજા બનાવશે. 1966થી કાલુપુર રેલવે સ્ટેશન પર 12 પ્લેટફોર્મ છે. 16 ટ્રેક સાથે 200 ટ્રેનની અવરજવર થાય છે. કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેન, મેટ્રો અને બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહેશે. કાલુપુર રેલવે સ્ટેશનના વિસ્તારમાં ઝૂલતા મિનારા જળવાઈ રહે તે રીતે આજુબાજુનો વિસ્તારનું ડેવલોમેન્ટ કરવામાં આવશે. 


રેલ્વે સ્ટેશનનો નવો લુક 

કાલુપુર રેલ્વે સ્ટેશને નવો લુક આપવા માં આવશે જે ડિઝાઈન ખુબજ આકર્ષક દેખાય છે. આ લુકની ડિઝાઈન હડસન હાઈલાઈન પાર્ક દ્વારા તૈયાર કરવામાં આવી છે. અમદાવાદ કાલુપુર સાથે સાથે અમદાવાદના સાબરમતી રેલ્વે સ્ટેશનને પણ રીડેવલોપમેન્ટ કરવામાં આવશે. અમદાવાદનું કાલુપુર સાથે સાબરમતી રેલ્વે સ્ટેશન પણ એક આકર્ષણનું કેન્દ્ર બનશે. 



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.