વિવાદ વધતા કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે માર્યો યુ-ટર્ન! જલારામ બાપા માટે કરેલી ટિપ્પણીને લઈ માફી માગતા કહ્યું કે... સાંભળો


  • Published By :
  • Published Date : 2024-02-08 14:55:09

ધર્મ અને રાજનીતિ જાણે હવે નેતાઓએ એક કરી દીધી છે. રાજનીતિમાં ચર્ચામાં રહેવા માટે અનેક નેતાઓ ધર્મને લઈ નિવેદનો આપતા હોય છે.  ધર્મ અને ભગવાનને લાવીને ચર્ચામાં રહેવું એ લોકો માટે, ધારાસભ્યો માટે હવે ટ્રેન્ડ થઈ ગયો છે તેવું લાગે છે.  ધર્મ પર કઈ કહીશું કે ભગવાન વિશે કઈ કહીશું તો ચર્ચામાં આવીશું, આવુજ વિચારીને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણએ થોડા દિવસો પહેલા એક નિવેદન આપ્યું હતું. આવું નિવેદન આપી કદાચ ધારાસભ્ય ચર્ચામાં રહેવા માગતા હોય છે! 

સાંઈબાબા અને જલારામ બાપા માટે આપ્યું હતું વિવાદીત નિવેદન!

કાલોલના ધારાસભ્યએ થોડા દિવસ પહેલા સાંઈ બાબા અને જલારામ બાપાને લઈ નિવેદન આપ્યું હતું, જેને લઈ ભક્તોમાં નારાજગી પણ જોવા મળી હતી ત્યારે ધારાસભ્યએ પોતાની વાત પરથી યુટર્ન માર્યો. વિવાદ વધતા ધારાસભ્યએ માફી છે. વાત એમ હતી કે ફતેસિંહ ચૌહાણે થોડા સમય પહેલા એક કાર્યક્રમ દરમિયાન તેમણે જલારામ અને સાંઈબાબા વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું.  

વિવાદ વકરતા ધારાસભ્યએ મારી પલટી!

સાંઈબાબા અને જલારામ બાપા પર કરેલી ટિપ્પણી પર ધારાસભ્યએ માફી માગી છે. માફી માગતા તેમણે કહ્યું હતું કે કોઈપણ સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માગું છું, પરંતુ વાઇરલ થયેલા વીડિયો સાથે છેડછાડ કરાઈ છે અને વીડિયો અડધો જ મૂકવામાં આવ્યો છે, જો પૂરો વીડિઓ જોવામાં આવે તો સમગ્ર વાતનો ખ્યાલ આવે. મહત્વનું છે કે ધારાસભ્યો, નેતાઓ પોતાની વાત પરથી ક્યારે પલટી મારી જાય છે તેનો ખ્યાલ નથી રહેતો!   


સ્વામીનારાયણ સંપ્રદાય માટે પણ કહી આ વાત!

ફરી એક વખત શબ્દ એટલા માટે વાપર્યો છે કારણ કે થોડા સમય પહેલા જ્યારે સ્વામિનારાયણ અને ભીંત ચિત્રોનો વિવાદ ચાલતો હતો ત્યારે પણ તેમણે કંઈક આવુ જ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે સ્ટેજ પરથી સ્વામિનારાયણ સંપ્રદાય પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે આ સ્વામિનારાયણ સંપ્રદાય એ કોઈ જ્ઞાનનો અખાડો નથી, સ્વામિનારાયણ સંસ્થા છે, પૈસા ભેગા કરવાની સંસ્થા છે, કોઈ ધર્મનું જ્ઞાન નથી. એટલા બધા વ્યાભિચારી સંત રોજ સમાચારમાં આવે છે અને અનેક મંદિરોમાં ઝઘડા ચાલે છે. આપણે દેવી-દેવતાઓના નામ પર તેનો સંપ્રદાય ચલાવે છે.  



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .