માતા મહાકાળીને પ્રસન્ન કરવાનો દિવસ એટલે કાળી ચૌદશ, તેમની ઉપાસના કરવાથી આકસ્મિક મૃત્યુ ટળે છે


  • Published By :
  • Published Date : 2024-10-30 16:23:25

આજે કાળી ચૌદશ છે... કાળી ચૌદશને નરક ચૌદશ અથવા નાની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે.... દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશને કાળી ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે.. આજના દિવસે અનેક લોકો ઘરમાંથી કંકાસ કાઢતા હોય છે.. એવું પણ માનવામાં  આવે છે કે આજનો દિવસ તાંત્રિક વિદ્યા સાથે સંકળાયેલા લોકો માટે મહત્વનો હોય છે.. સ્મશાનમાં પણ અનેક લોકો સાધના આજના દિવસે કરતા હોય છે.... આવું કરવાથી તેમને સિદ્ધિઓ હાંસલ થાય છે.. 

માઁ મહાકાળી પાવાગઢ શક્તિપીઠ - ????#_जय_श्री_महाकाली_माँ ???????? | Facebook


નરક ચતુર્દશી તરીકે પણ આ તહેવારને ઓળખવામાં આવે છે.. 

દિવાળીના તહેવાર દરમિયાન ત્રણ મહાશક્તિઓની આરાધના થાય છે.. મહા લક્ષ્મી, મહા કાળી અને મહા સરસ્વતી.. દિવાળીના દિવસે માતા સરસ્વતીની જ્યારે ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની આરાધના થાય છે... માતા મહાકાળીની આરાધના કાળી ચૌદાશના દિવસે કરવામાં આવે છે... માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી મુક્ત કર્યા હતા.. જેને કારણે કાળી ચૌદશને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે... બીજી એક કથા એવી પણ જે મુજબ આ દિવસે યમરાજને પ્રણામ કરીને દીવો પ્રગટાવવાથી દરેક પ્રકારની પરેશાનીઓ અને પાપમાંથી મુક્તિ મળી જાય છે, 



દુષ્ટ શક્તિઓનો થાય છે નાશ

કાળી ચૌદશના દિવસે ના માત્ર મહાકાળીની પૂજા કરવાથી દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. મહાકાલી દેવીની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ મળે છે અને આત્મવિશ્વાસ વધે છે.  માતાની પૂજા કરવામાં આવે છે પરંતુ કોઈ ભક્ત હનુમાનજીની, ભૈરવદાદાની પણ પૂજા કરવામાં આવે છે.... એવું માનવામાં આવે છે આજના દિવસે પૂજા કરવાથી અકાળે મૃત્યુ આવતી નથી..



(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે....)



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.