માતા મહાકાળીને પ્રસન્ન કરવાનો દિવસ એટલે કાળી ચૌદશ, તેમની ઉપાસના કરવાથી આકસ્મિક મૃત્યુ ટળે છે


  • Published By :
  • Published Date : 2024-10-30 16:23:25

આજે કાળી ચૌદશ છે... કાળી ચૌદશને નરક ચૌદશ અથવા નાની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે.... દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશને કાળી ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે.. આજના દિવસે અનેક લોકો ઘરમાંથી કંકાસ કાઢતા હોય છે.. એવું પણ માનવામાં  આવે છે કે આજનો દિવસ તાંત્રિક વિદ્યા સાથે સંકળાયેલા લોકો માટે મહત્વનો હોય છે.. સ્મશાનમાં પણ અનેક લોકો સાધના આજના દિવસે કરતા હોય છે.... આવું કરવાથી તેમને સિદ્ધિઓ હાંસલ થાય છે.. 

માઁ મહાકાળી પાવાગઢ શક્તિપીઠ - ????#_जय_श्री_महाकाली_माँ ???????? | Facebook


નરક ચતુર્દશી તરીકે પણ આ તહેવારને ઓળખવામાં આવે છે.. 

દિવાળીના તહેવાર દરમિયાન ત્રણ મહાશક્તિઓની આરાધના થાય છે.. મહા લક્ષ્મી, મહા કાળી અને મહા સરસ્વતી.. દિવાળીના દિવસે માતા સરસ્વતીની જ્યારે ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની આરાધના થાય છે... માતા મહાકાળીની આરાધના કાળી ચૌદાશના દિવસે કરવામાં આવે છે... માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી મુક્ત કર્યા હતા.. જેને કારણે કાળી ચૌદશને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે... બીજી એક કથા એવી પણ જે મુજબ આ દિવસે યમરાજને પ્રણામ કરીને દીવો પ્રગટાવવાથી દરેક પ્રકારની પરેશાનીઓ અને પાપમાંથી મુક્તિ મળી જાય છે, 



દુષ્ટ શક્તિઓનો થાય છે નાશ

કાળી ચૌદશના દિવસે ના માત્ર મહાકાળીની પૂજા કરવાથી દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. મહાકાલી દેવીની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ મળે છે અને આત્મવિશ્વાસ વધે છે.  માતાની પૂજા કરવામાં આવે છે પરંતુ કોઈ ભક્ત હનુમાનજીની, ભૈરવદાદાની પણ પૂજા કરવામાં આવે છે.... એવું માનવામાં આવે છે આજના દિવસે પૂજા કરવાથી અકાળે મૃત્યુ આવતી નથી..



(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે....)



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે